SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ શુદ્ધ રત્નત્રયીને આપી સુખી કરે છે. જેમ પાણી વિનાનું ઘર નાસિકા વિનાનું મુખ ઇંદ્ર વિનાનું સ્વર્ગ બુદ્ધિ વિનાનો વિદ્યાર્થી પ્રાણ વિનાનો દેહ શોભા પામે નહિ તેમ ધર્મ વિનાનો માણસ શોભા પામી શકતો નથી. મોટા મોટા સારભૂત આદેશોથી શું? કલ્પવૃક્ષ સમાન મહાન્ પ્રાસાદવડે કરીને શું ? સર્વ પ્રકારના સુંદર રૂપવડે કરીને પણ શું ? મોટા મોટા રાજ્યો અને નગરોવડે કરીને શું ? ભવ્ય મનોહર દેહ ગેહવડે કરીને પણ શું ? અનુકૂલ એવા વસ્ત્રાલંકારો વડે કરીને પણે શું ? સાર ફાર ઉદાર શૃંગારોથી પણ શું ? દેદીપ્યામાન વાહન વૈભવ અને ગાનતાનથી પણ શું ? સુંદર વિવિધ પ્રકારના આહારાદિકવડે કરીને પણ શું ? કિંબહુના? એ તમામ પદાર્થો ધર્મકર્મ વિના આત્માને સર્વથા પ્રકારે દુઃખ આપનારા હોઈવ્યર્થ નકામા કલેશ કરાવનારા છે. (ઉપદેશ અઠયાસીમો) રાગ, દ્વેષ, મોહ હે ભવ્યો ! પુરુષ વ્રતધારી વીર પુરુષોયે તો અત્યંત દ્રોહ કરનારા વૈરીવર્ગની સાથે જ યુદ્ધ કરવું જોઈએ, કારણ કે રાગ, દ્વેષ, મોહ અને કષાયો જીવોને સેંકડો જન્માંતરમાં પણ અનર્થ ઉત્પન્ન કરનારા શત્રુઓ છે. રાગ સગતિએ જવામાં લોઢાની સાંકળ સમાન બંધનકારક છે, દ્વેષ નરકાવાસને વિષે નિવાસ કરાવવામાં બળવાન સાક્ષીરૂપ છે, મોહ સંસારસમુદ્રની ઘુમરીમાં નાખવા પ્રતિજ્ઞારૂપ છે, મોહે એવી પ્રતિજ્ઞા કરી છે કે મારે સર્વે પ્રાણિયોને સંસારરૂપી ઘુમરીમાં અવશ્ય નાખવા જ જોઇયે, કષાયો અગ્નિના પેઠે પોતાના આશ્રિત જનોને દહન કરનારા છે માટે અવિનાશી કારણરૂપ શાસ્ત્રોથી યુદ્ધ કરીને તે વૈરીયોને પુરૂષોએ જીતવા અને સત્ય શરણભૂત ધર્મની સેવા કરવી કે શાસ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય. M૨૩૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy