SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ દાંત લગાવે નહિ, પછી પ્રસન્નતા, પૂર્વક મન, વચન, કાયાના યોગોને એકત્ર કરી, ત્રિકરણ શુદ્ધિથી બ્રહ્મચર્યનું પાલન કરી વિશિષ્ટ પ્રકારના તપયુક્ત થઇ, એકસોને આઠ ઉજ્જવલ અખંડ, ચોખાના ત્રણ વાર નવકાર ગણવાપૂર્વક ત્રણસાથીયા કરી,જાપ કરવા બેસે, સ્વર્ગાદિકની સંપત્તિ દૂર રહો પણ નિર્મલ પરિણામના યોગથી તીર્થકરગોત્ર ઉપાર્જિન કરે છે. ઉપર પ્રમાણે બંધનથી કદાચ કોઈ ન કરી શકે? તો પવિત્રતાથી તથા ચિત્તની શાંતિથી વિધિપૂર્વક, એક લાખ નવકારનો જાપ કરી અખંડ એક લાખ ચોખા જો પરમાત્મા પાસે સ્થાપન કરે તો નિર્મળ સમકિતદષ્ટિપણે પામી, ઘોર કર્મવાળા હોય તો પણ પાપથી નિવર્તમાન થાય છે અને એક કોટી નવકાર ગણ્યા પછી એક કોટી અખંડ ચોખા પરમાત્મા પાસે સ્થાપન કરે તો, સર્વ પાપથી મુક્ત થઈ, સાત આઠ ભવને વિષે મોક્ષે જાય છે, પરંતુ મનની જેવી સ્થિરતા હોય છે તેવું જ ફળ મળે છે. તેનો ઉપાય બતાવે છે. જાપ ત્રણ પ્રકારનો છે. ૧ પૂર્વાનુપૂર્વા, ૨ પશ્ચાનુપૂર્વાય, ૩ અનાનુપૂર્વા. ઉપર વર્ણન કર્યા પ્રમાણે જાપ કરે તો તે પૂવ્યો કહેવાય છે અથવા ચિંત્તની સ્થિરતાથી, કમલબંધથી જાપ કરવો. નાભિપ્રદેશથી ઉત્પન્ન થયેલા નાલયુક્ત અને બ્રહ્મરંધ્ર પ્રતિષ્ઠિત, કમલદળને વિષે ધ્યાન કરવાથી એ પ્રકારનું તત્ત્વ ફળિભૂત થાય છે. ૧. પ્રથમ પદના ઉચ્ચારને વિષે કમલની કર્ણિકાને વિષે આઠ મહાપ્રતિહાર્ય યુક્ત અને શ્વેત વર્ણવાળા શ્રીમાનું અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું. - ૨ બીજા પદના ઉચ્ચારને વિષે લલાટપટના ઉપર રહેલા દળને વિષે સિદ્ધાસનને વિષે રહેલાં, લાલ વર્ણવાળા, સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. ૩ ત્રીજા પદના ઉચ્ચારને વિષે જમણા કાનના ઉપર રહેલા દલને M૨૧૫) ૨૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy