SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઈહલોકમાં મનુષ્ય જન્મને વિષે પ્રાણાદિકનો ક્ષય થાય અને હિંસા, અસત્ય ચોરી, વિગેરેના કારણથી પરલોક નરકગતિની પ્રાપ્તિ થાય,તે નિવારવા માટે જ, ઉપકારબુદ્ધિથી, પુત્ર પૌત્રાદિકને, જગદ્ગુરુએ રાજ્ય આપેલ છે. છતી શક્તિએ ઉપેક્ષા કરવી જગદ્ગુરુને ઘટે નહિ વળી તીર્થંકર મહારાજા, રાજયનું દાન કરે છે તે ઉપકારને માટે જ થાય છે પણ દોષને માટે થતું નથી. પરસ્પર લડી મરતાને બચાવવા તે જગજાહેર ઉપકાર જ છે. આવા કારણથી જ જગદ્ગુરુને, વિવાહાદિક કરવામાં તથા શિલ્પાદિક બતાવવામાં, રાજ્યદાન પેઠે કાંઈ પણ દોષ નથી, કારણ કે શિલ્પાદિક નહિ જાણવાથી, ઉદરપોષણ માટે હિંસા, અસત્ય,ચોરી આદિ અનેક પાપકર્મથી મહાઅનર્થ કરે છે સ્ત્રીયાદિક નહિ હોવાથી પરસ્ત્રીનું સેવન કરી દુર્ગતિમાં જાય છે. શિલ્પાદિક દોષસ્વલ્પ છે અને ઉપરોક્ત મહાન્ દોષ નિવારવાથી પ્રભુને બીલકુલ દોષ લાગતો નથી. આ વાતને દષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ સર્પ, ઘો આદિ જાનવરોથી દૂર ખેંચીને પોતાના પુત્રાદિકનું રક્ષણ કરાય છે અને ખાડામાં પડી ગયેલાનું માથું, હાથ, વિગેરે ખેંચીને બહાર કઢાય છે, બહાર કાઢતી વખતે તેને જરા ઇજા જેવું થાય છે, પરંતુ પરિણામે જીવ બચાવવાનો આશય હોવાથી, સામાન્ય ઉપાધિ છતાં લાભકાર્ય મહાનું હોવાથી તેમાં કાંઈ દૂષિત પણું નથી, તેમ શિલ્પાદિકને બતાવવામાં કાંઈ દોષાપત્તિ નથી. આ વાતને દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. એક બાઇનો નાનો છોકરો એક ખાડાના કાંઠા ઉપર રમતો હતો. તેના સન્મુખ સર્પ આવતો દેખ્યો તેથી ભય પામેલી બાળકની માતાએ સર્પને તરત ખાડામાં નાખી છોકરાનો બચાવ કર્યો. પછી તે દયાળુ સ્ત્રીય સર્પને પણ બહાર કાઢી બીજી જગ્યાએ મૂક્યો. જેમ તે સ્ત્રીએ પોતાના છોકરા તથા સર્પનો બચાવ કર્યો, તેમ પ્રભુ પણ દાનાદિક તમામ આપી સ્વપરનો પાપથી બચાવ કરે છે. આ દૃષ્ટાંતના ન્યાયથી જગદ્ગુરુને M૨૦૮) ૨૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy