SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ થાય છે કે તીર્થકરના દાનને લઈ તે પૈસાથી લોકો સંસાર જન્ય અનેક કર્તવ્યો કરે છે, તેથી ભવની પરંપરાની વૃદ્ધિ થવાથી તેને મોક્ષ મળતું નથી. આવી શંકા કરનારાને શાસ્ત્રકાર મહારાજા ઉત્તર આપે છે, કે જગદ્ગુરુ જે દાન આપે છે તે સર્વ જગતના જીવોને હિત કરવા માટે જ, પરંતુલોકોના પાસેથી પાછું ફળ મેળવવાની આશાથી નહિ. સમગ્ર તીર્થકર મહારાજાનો તેવો જીવ માર્ગ કલ્પ, (વ્યવહાર), છે. પ્રભુ ધર્મગપણાથી દાન આપે છે, દાનની ધર્માગતા ક્ષમાશયરૂપ તથા કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે. યાચના કરનાર બ્રાહ્મણને ઇંદ્ર મહારાજે આપેલ દેવદૂષ્ય અર્ધવસ્ત્રને ભગવાને આપેલ છે, તે અનુકંપાથી જ આપેલ હોવાથી પુન્યાર્થે થયેલ છે. અન્યથા આદિનો વેચાવડાં નન્ના, તિ વૈવાતિવૂળ ત્યાગીયો ગૃહસ્થોની વૈયાવચ્ચન કરે તેમ દશવૈકાલિક ચૂર્ણને વિષે કહેલ છે, નિરુત્તર થયેલા કોઈક વળી કહે છે કે જગદગુરૂ દીક્ષા લેતી વખતે પુત્ર પૌત્રાદિકને રાય ભાગ આપે છે, તે તેમને અશુભ કર્મના બંધનરૂપ થાય છે. રાજ્યાદિકનું દાન અશુભ કર્મના મહાબંધના હેતુભૂત હોઈ, રૌરવ દુર્ગતિ આપનાર થાય છે. મહાઆરંભ,મહાપરિગ્રહ, કુણિપ આહાર, પંચેંદ્રિયાદિક જીવોના વધવા હેતુભૂત હોવાથી, જેમ અગ્નિ, શસ્ત્રાદિકનું દાન, વધના હેતુભૂત હોવાથી દુર્ગતિનું કારણ થાય ચે, તેમ આ રાજ્યનું દાન પણ દુર્ગતિના હેતુભૂત થાય છે, માટે આપવું લાયક નથી. આવું બોલનારાને શાસ્ત્રકાર મહારાજા ઉત્તર આપે છે. નાયકના અભાવથી, લોકો પરસ્પર કલેશ કરી મરણ પામે છે. તેમાં કાળનો દોષ નથી, કારણ કે આ અવસર્પિણી કાળમાં સર્વે હીન, હીનતર સ્વભાવથી મયાદનો લોપ કરનારા હોય છે નાયક હોવા છતાં પણ કેટલાક લોકો તો લડાઈ ટંટો કરી નાશ પામતા દેખાય છે, તો નિર્ણાયકપણાનું તો કહેવું જ શું ? M૨૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy