SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ચક્રવર્યાદિક પણ, પોતાનો ભંડાર અક્ષય રાખવા માટે, તીર્થકર મહારાજના પાસેથી દાન લે છે. શ્રેષ્ઠી આદિ લોકો પણ પોતાનાં યશ, કીર્તિ, માનની વૃદ્ધિ માટે, ભગવાન પાસેથી દાન લે છે. રોગી પુરુષો પણ પોતાના મૂળ રોગની હાનિ માટે અને ૧૨ વર્ષ સુધી નવીન રોગ ન ઉત્પન્ન થાય તેના માટે ભગવાનના હાથથી દાન ગ્રહણ કરે છે. કિબહુના ? સર્વ જીવો, તથા પ્રકારના યોગને પામી, પોતાના વાંછિતાર્થની સિદ્ધિ માટે જિનેશ્વર મહારાજના હાથથી દાન લે છે અભવ્ય જીવો, તીર્થકરમાહારાજના હાથથી દાન લઈ શકતા નથી. પ્રભુના દાનસમયે તીર્થકરમહારાજાના માતા, પિતા ભ્રાતા ત્રણ દાનશાળા મંડાવે છે દાન લેવા આવેલાને ૧લીમાં ભોજન કરાવી બીજીમાં વસ્ત્ર આપી ત્રીજીમાં અલંકારો આપી સંતોષી સર્વ જીવોને વિદાય કરે છે, કહ્યું છે કે - जगत्प्रिये सुरुपे च, शशिनो रश्मिमंडले ।। सत्यप्यंभोजिनीखंड, न विकाशं प्रपद्यते ॥१॥ ભાવાર્થ : જગતને પ્રિય, સારા રૂપયુક્ત, ચંદ્રમાના કિરણનું મંડલ છતાં પણ દિવસને વિષે વિકસ્વર થવાવાળું કમલોનું વન પ્રફુલ્લિત થતું નથી. રાત્રિવિકાસિત કમલો ચંદ્રોદયથી અને દિવસ વિકાસી કમલો સૂર્યોદયથી જ વિકસ્વર થાય છે. તેવી જ રીતે બૌદ્ધાદિક દાન આપનારા નિરતિશયી હોવાથી અને લખેલું દાન તેમનું કલ્પિત હોવાથી, સંખ્યાના દાનનો સંભવ છે, પણ અસંખ્યાત દાન નહિ, માટે ભગવાન જ મહાદાની કહેવાય છે. ભગવાનના અતિશય જેવું દાન આપનારા અન્ય કોઈ છે જ નહિ. આવી રીતે ઉત્તર આપવાથી નિરુત્તર થયેલ તે લોકો કહે છે કે - તીર્થંકર મહારાજને મોક્ષ મેળવવું છે. અને દાન આપે છે, તો શંકા ઉપસ્થિત M૨૦૬) ૨૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy