SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સમાધાન : અલબત્ત, તીર્થકર મહારાજ અનંતબલ વીર્યના ધણી હોવાથી, બીજાની શક્તિથી કામ કરવાની પરવા રાખતા નથી, પરંતુ અનંતકાળમાં અનંત તીર્થંકરના વારામાં, અનંતા ઇંદ્રો થઈ ગયા, તે સર્વેનો અનાદિકાળથી પ્રભુ ભક્તિ કરવાનો નિયમ પૂર્વપરંપરાથી ચાલ્યો આવતો હોવાથી, તેને ખંડન નહિ કરવાની મર્યાદાથી જ , ભક્તિથી જ ઇંદ્રમહારાજા ભગવાનના હાથમાં મહાશક્તિનું સ્થાપન કરે છે તે અયુક્ત ન જ ગણાય. અલબત્ત તેમ કરવું જ જોઈ. ૨. ભગવાનદાન આપે છે ત્યારે ઇશાન ઇંદ્ર રત્નજડિત લાકડી લઈ સોનામહોરોના ઢગલા વચ્ચે ઊભો રહે છે, અને બીજા સામાન્ય દેવતાઓને દુર કરી, હે પ્રભુ ! મને આપો, એમ બોલાવી, જેને જે જોઈતું હોય છે. તેને પ્રભુના હાથે અપાવે છે. ૩. ચમરેંદ્ર, લોકોના ભાગ્ય પ્રમાણે, ભગવાનની મુઠી ભરાવે છે, ખોબો ભરાવે છે. ૪. બલીંદ્ર, ભરાવેલ મુઠી, ખોબાને ખાલી કરાવે છે. ૫. ભુવનપતિ દેવો, ભારતવાસી જીવોને દાન લેવા ભગવાનની પાસે ઉપાડી લાવે છે,. ૬. વ્યંતરદેવો, દાન લીધેલાને, તેને સ્થાને પહોંચાડે છે. ૭. જયોતિષિદેવો, વિદ્યાધરોને લાવીને, ભગવાનના પાસેથી દાન ગ્રહણ કરાવે છે. ઇંદ્રો પણ પોતાને ભવ્યત્વની છાપના નિશ્ચય માટે પ્રભુ પાસેથી દાન લે છે. ઉપદેશપ્રાસાદને વિષે કહેલ છે કે, ભગવાન પાસેથી ઇંદ્રોએ લીધેલા દાનના પ્રતાપે, ૬૪ ઇંદ્રોમાં, બે વરસ પર્યત લડાઈ-ટંટો થતા નથી. જ્ઞાતાસૂત્રની ટીકામાં કહ્યું છે કે – તીર્થકર મહારાજના હાથે દાન લેવાથી થાય છે. ૨૦૫ ૨૦૫ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy