SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે, ૪૦ મણ સોનું એક ગાડામાં ભરે છે. અને ૯૦૦૦ મણ સોનાનાં ૨૨૫ ગાડા ભરાય છે. ૩૦ સોનામહોરે ૧ શેર સોનું થાય છે, અને ૧૨૦૦ સોનામહોરે એક મણ થાય છે, એવી રીતે એક ગાડામાં ૪૦ મણ સોનું નાખતા ૪૮૦૦૦, સોનાહોરો થાય છે, તેવી જ રીતે ૨૨૫ ગાડામાં સોનામહોરો ભરતાં ૧, ક્રોડ, અને ૮ લાખ સોનામહોરો થાય છે, તેનું દાન નિરંતર ભગવાન આપે છે. એવી રીતે દાન આપતાં બાર માસે ભગવાન ૩૮૮ ક્રોડ, અને ૮૦ લાખ સોનામહોરોનું દાન કરે જ્ઞાતાસૂરદીપિકાને વિષે શ્રી મલ્લિનાથ મહારાજના દાન અધ્યયનને વિષે પણ એમજ કહેલ છે, તથા વિચારરત્નાકર ગ્રંથને વિષે પણ એમજ કહેલ છે. કલ્પસૂત્રની અંતરવાચના ટીકાને વિષે તો ૪૮ વાલનો એક ભાષા કહેલ છે, એ ગણત્રીથી ૧૨૫૦ મણ સોનું થાય છે, તેટલા પ્રમાણનું ભગવાન દાન કરે, કોઈક દેશમાં એવું પણ પ્રમાણ હોય છે. એ ઉપરોક્ત સોનામહોરોનું દાન ભગવાન પ્રતિદિન, પ્રાતઃકાળથી સૂર્યોદયથી આરંભી, મધ્યાહનકાળ સુધી સંપૂર્ણ બે પહોર સુધીમાં આપે છે, એવી રીતે નિરંતર બાર માસ સુધી દાન આપે છે. પ્રભુને દાન આપતી વખતનાં છ અતિશયો પ્રભુને દાન આપતી વખતમાં છ અતિશયો ૧. ભગવાન જયારે સોનામહોરોની મુઠી ભરી દાન આપે છે તે વખતે, સૌધર્મેદ્ર. ભગવાનના જમણા હાથમાં મહાશક્તિને સ્થાપન કરે છે, તેથી લવલેશ માત્ર પણ પ્રભુને ખેદનો ઉદય રહેતો નથી. શંકા : પ્રભુનો અનંત બલવીર્યના ધણી છે, છતાં ઇંદ્રમહારાજ તેમના હાથમાં શક્તિ સ્થાપન કરે છે તે અસ્થાને ગણાય, યુક્તિયુક્ત તો ન જ કહેવાય, ૨૦૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy