SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. આવા ઉત્તરથી અસત્યવાદીઓ નિરુત્તર થયા અને જગદગુરુ જિનેશ્વર મહારાજા મહાદાની સિદ્ધ થયા. (ઉપદેશ પંચોતેરમો) ઇન્દ્રિયોનું સેવન અનર્થારી એક એક ઇંદ્રિય પણ ઈહલોક, પરલોકમાં મહાઅનર્થને ઉત્પન્ન કરે છે, તો પછી પાંચ ઇંદ્રિયોનું સેવન કરવાથી, અનર્થની પરંપરા વૃદ્ધિ થાયતેનું તો કહેવું જ શું ? જુઓ सारंगमातंगपतंग,मीना हताः पंचभिरेव पंच । एक प्रमादी स कथं न हन्याद्यः सेवते पंचभिरेव पंच ॥१॥ ભાવાર્થ : મૃગ, હાથી, પતંગ, ભ્રમર અને મત્સ્ય, એ પાંચ પ્રાણીઓ પાંચ ઇંદ્રિયોમાંથી એક એકના સેવવાવડે હણાય છે, એટલે પાંચથી પાંચ હણાયા છે, તો જે પ્રમાદી મનુષ્ય એકલો પાંચે ઇંદ્રિયોવડે પાંચેના વિષયોને સેવે છે તે કેમ ન હણાય ? તે તો અવશ્ય હણાય. મૃગલા સ્વેચ્છાએ અરણ્યામાં ફરે છે. તેને પકડવા માટે પારધીઓ સારંગી, વીણા વિગેરેના નાદ કરે છે. તેથી કર્ણના વિષયમાં લુબ્ધ થએલા મૃગલા મોહ પામીને તે સાંભળવા આવે છે. તે વખતે પારધીઓ જલ્દીથી તેને હણી નાખે છે (૧) હાથીને પકડવા માટે દુષ્ટ પુરુષો, એક મોટા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે. તે જોઇને તેનો સ્પર્શ કરવાને ઉત્સુક થએલો હાથી તે ખાડામાં પડે છે. ત્યાંથી તે નીકળી શકતો નથી. પછી સુધા, તૃષા વિગેરેથી પીડા પામેલા તે હાથીને નિર્બલ થએલો જાણીને, કેટલાક દિવસે તેને બાંધે છે અથવા મારી પણ નાખે છે (૨) નેત્રના વિષયમાં આસક્ત થએલ પતંગીયું દીવાની જયોતિમાં મોહ પામીને, તેમાં પોતાનાદેહને હોમી મરણ પામે છે (૩) પ્રાણેદ્રિયના વિષયમાં આશક્ત થએલ ભ્રમર,કમળની સુગંધથી મોહ પામીને દિવસે તે કમળમાં પેસે છે. રાત્રીએ કમળ બીડાઈ જવાથી તે દુ:ખ પામે છે અને મરણ પણ પામી જાય છે (૪) જિહ્વા ઇંદ્રિયને ૨૦૯ ભાગ-૮ ફર્મા ૧પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy