SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કયવનો શેઠ મહાન પુન્યયુક્ત લક્ષ્મી અને યશવાળો થયો. ૭. બીસ્કુલ દોષ રહિત ધૃતપુષ્પ અને વસ્ત્રપુષ્પ નામના બે સાધુઓ પોતાની લબ્ધિવડે કરી, ગચ્છની નિર્મળ ભક્તિ કરવાથી સદ્ગતિ પામ્યા. ૮. જીવિત સ્વામી ભગવાન શ્રી મહાવીર મહારાજની ભક્તિ કરવાથી, ગામ, ગરાસ દાનમાં આપી, ઉદાયન રાજર્ષિતે જ ભવમાં મોક્ષે ગયો. ૯ શુદ્ધ ભાવ અને શુદ્ધ ભક્તિ, નિર્મળ નિર્દોષ અડદના બાળકળાનું દાન, માસક્ષપણને પારણે તપસ્વી મહામુનિને આપવાથી જિતશત્રુ રાજાનો પુત્ર મૂળદેવ હજાર હાથીઓવાળા મોટા રાજ્યની ઋદ્ધિને પામ્યો. ૧૦. અનુકંપા અને ભક્તિદાનથી સંપ્રતિરાજા, જૈન શાસનનો મહાપ્રભાવક થયો, અને પૃથ્વીને જૈન મંદિરથી ભૂષિત કરી. ૧૧. દુનિયાના જીવોને અત્યંત દાન આપી, પોતાની પ્રાણથી પણ પરનો ઉપકાર કરનારો વિક્રમ રાજા, દુનિયામાં અત્યારસુધી પણ મનાય-પૂજાય છે. ૧૨. તીર્થંકર મહારાજાઓ પ્રગટ દાનથી, દુનિયાના દારિદ્રયને ચૂરી, તેમને ભવ્યત્વપણાની છાપ આપે છે. ૧૩. આ હુંડાવસર્પિણી કાળને વિષે, દાન ધર્મના મહાભ્યને પ્રગટ કરનાર, શ્રેયાંસકુમાર મોક્ષે ગયો, તેનું અનુમોદન કયો ભાગ્યશાલી જીવ નહિ કરે ? ૧૪. છ માસિક તપસ્યા કરનાર, ભગવાન મહાવીર મહારાજાને અડદના બાકલાનું દાન આપી ચંદનબાળાને મોક્ષ લીધું, તેથી કોણ આશ્ચર્ય નહિ પામે ? ૧૫. તીર્થંકર મહારાજાઓ તપને પારણે જેને ઘેર જાય છે, તે ઘરવાળો દાતાર આહારાદિકનું દાન આપી, રત્ન સોયાની મહાનું વૃષ્ટિને મેળવે છે, તે દાનનો મહાનું પ્રભાવ સમજવો. ૧૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy