SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જ્યાં રહેવાનું ઘર નથી, પહેરવાનું વસ્ત્ર નથી, વાપરવા માટે વાસણકુસણ નથી, પાથરવા ઓઢવા ગોદડા નથી,સૂઈ રહેવા ખાટલો નથી, ખાવાને દાણા નથી,કિંબહુના દુષ્કાળરૂપી રાજાના પડહ જેવા દરિદ્રીના ઘરને વિષે, મન વચન કાયા નેતૃષ્ટિ-પુષ્ટિ આપનાર સુવર્ણની વૃષ્ટિ ક્યાંથી હોય ? જયાં હડહડતો ગાઢ અંધકારનો સમૂહ રહેલો છે એવી તમિસ્ત્રા ગુફામાં ઉત્તમોત્તમ રત્નનો પ્રદીપ ક્યાંથી હોય? તેમ સ્ત્રિયોને આધીન થયેલા પરલોકથી વિમુખ થયેલા સ્વર્ગમોક્ષથી વંચિત થયેલા, સંસાર ચક્રવાલમાં દીર્ઘકાળ ફરનારા વિષયાંધ જીવોને સત્ય સુખ સ્વપ્રને વિષે પણ હોય જ નહિ. ઉપદેશ સીત્તેરમો ) दान दारिद्रहरम् ભાવાર્થ : દાન દારિદ્રપણાને હરણ કરનારા છે. ૧. ધના સાર્થવાહના ભવમાં સાધુઓને ઘીનું દાન આપવાથી, આદિનાથજી ત્રણ લોકના નાથ તીર્થકર થયા. ૨. મેઘરથ રાજાના ભાવમાં પારેવાને અભયદાન આપવાથી શાંતિનાથ મહારાજા, એક ભવમાં ચક્રવર્તી અને તીર્થકરની બે પદવીઓ પામ્યા. ૩. પૂર્વ ભવમાં ૫૦૦ સધુઓને આહાર લાવી આપવાથી ભરત મહારાજા ચક્રવર્તી થયા. ૪. મુનિને શરીરે રોગ હતો, તે દૂર કરવા માટે રત્નકંબળ અને બાવનાચંદન આપવાથી તે વ્યાપારી વણિક તે જ ભવમાં સિદ્ધિપદને પામ્યો. ૫. મહાતપસ્વી સાધુને ખીરનું દાન દેવાથી ગોવાળીઓ મહાન ઋદ્ધિવાળો શાલીભદ્ર થયો. ૬.પૂર્વભવમાં અભૂત પ્રકારે મુનિમહારાજને દાન આપવાથી, ૧૯૩ ભાગ-૮ ફર્મા-૧ ૪ Jain Education Internatonal For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy