SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કરે છે, લજ્જાને ત્યાગ કરે છે, નિર્દયપણું ધારણ કરે છે, નીચપણું પામે છે, ભાઈ સ્ત્રી, મિત્રને વિષે અપકાર કરનારી નાના પ્રકારની ચેષ્ટા કરે છે, કિંબહુના ? સુધાથી પીડિત જીવ, એવુ નિંદિત કાર્ય કર્યું નથી કરતો ? અર્થાત્ ક્ષુધાતુર તમામ ઉપરોક્ત નિંદિત કાર્ય કરવામાં બિલકુલ શોચ કરતો નથી, વિચાર કરતો નથી. ધનવંતો પણ નિધનના સમાન આચરણ કરે છે. રાજાઓ પણ રંકના સમાન આચરણ કરે છે. સાહસિકો પણ કાયરના સમાન આચરણ કરે છે. શાહુકારો પણ ચોરના સમાન આચરણ કરે છે. મોટી ઇચ્છાવાળાઓ પણ તુચ્છના સમાન આચરણ કરે છે. ધર્મીઓ પણ અધર્મીઓના સમાન આચરણ કરે છે. દાતાર શિરોમણિયો પણ પ્રમાણોપેત આપનારા થાય છે. સારા કામ કરનારા પણ નબળા કામ કરનારા થાય છે. લજ્જાશીલો પણ નિર્લજ્જપણું ધારણ કરનારા થાય છે. વિવેકિયો પણ નિર્વિવેકપણું આચરણનારા થાય છે. દાક્ષિણ્યતાવાળા પણ દાક્ષિણ્યતા રહિત થાય છે. દયાળુઓ પણ નિર્ભયપણું ધારણ કરે છે. સસ્નેહિયો પણ નિસ્તેડિયો બની જાય છે. સુગવાળાઓ પણ સુગ રહિત થાય છે. અકઠોરો પણ કઠોરતા ધારણ કરવાવાળા થાય છે. શ્રેષ્ઠ સંતોષિયો પણ સંતોષ રહિત થાય છે. સારા પ્રતિષ્ઠિતો પણ પ્રતિષ્ઠા રહિતપણું આદરનારા થાય છે. સારી બુદ્ધિવાળા પણ દુષ્ટ બુદ્ધિવાળા બને છે. કિંબહુના ? સુધા મહારાક્ષસીથી પરવશ ચિત્તવાળા પિત્રાદિકો. પણ, પ્રાણથી અધિક પોતાના પુત્રાદિકનો ત્યાગ કરી, તેના માંસનું ભક્ષણ કરવાવાળા થાય છે. ૧૯૧૦ ૧૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy