SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સમુદ્રમાં પાણીના કલ્લોલા છે તેમ સંસારસમુદ્રમાં સંયોગવિયોગરૂપ પાણિના કલ્લોલા છે. જેમ સમુદ્રમાં તરંગો છે તેમ સંસારસમુદ્રમાં ચપલ મનરુપ તરંગો છે. જેમ સમુદ્રમાં સર્વ સ્થળે પાણી છે તેમ સંસારસમુદ્રમાં મરણના ભયરૂપ પાણી છે. જેમ સમુદ્રમાં પાણીનો વિસ્તાર છે તેમ સંસારસમુદ્રમાં ભવભ્રમણરૂપ પાણીનો વિસ્તાર છે. જેમ સમુદ્રમાં પવન છે તેમ સંસારસમુદ્રમાં અસ્થિરતારૂપ પવન છે. જેમ સમુદ્રમાં ઊડું તળિયું છે તેમ સંસારસમુદ્રમાં આશાતૃષ્ણારૂપ ઊંડું તળિયું છે. જેમ સમુદ્રમાં અંધકાર છે તેમ સંસારસમુદ્રમાં મિથ્યાત્વ રૂપી અંધકાર છે. જેમ સમુદ્રમાં ઘણાં હિંસક જીવો છે તેમ સંસાર સમુદ્રમાં પ્રમાદાદિક હિંસક જીવો ઘણાં છે. જેમ સમુદ્રમાં મોટા જલ જંતુઓ છે તેમ સંસારસમુદ્રમાં ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવરૂપ જલજંતુઓ છે. જેમ સમુદ્રમાં ઊંચા નીચા જીવો ડૂબી રહ્યા છે તેમ સંસારસમુદ્રમાં પાંચે આશ્રવોવડે કરી જીવો ઊંચ નીચપણે ડૂબી રહેલા છે. જેમ સમુદ્રનો પાર નથી તેમ સંસારસાગરમાં દુઃખનો પાર નથી. જેમ સમુદ્રને આધાર નથી તેમ સંસારસમુદ્રમાં કુદેવ કુગુરુ, કુધર્મને વશ પડેલો જીવોને કોઈનો આધાર નથી. જેમ સમુદ્ર ગર્જાવ કરી રહેલ છે, તેમ સંસારસાગર ચિંતા, શોક, ભયથી ગાજી રહેલ છે. જેમ સમુદ્રને કાંઠો છે તેમ સંસારસાગરના પારભૂત મોક્ષરૂપી કાંઠો છે. (ઉપદેશ અડસઠમો) દુકાળના સમયે લોકોની સ્થિતિ मानं मुंचतिगौरवं परिहरत्यायाति दीनात्मनां । लज्जामुत्सृजति श्रयत्यदयतां नीचत्वमालंबते ॥ भार्याबंधुसुह्वत्सुतेष्वेवकृती ना विधाश्चेष्टते । किंकियन्नकरोति निंदितमपि प्राणि क्षुधापीडितः ॥१॥ ભાવાર્થ : માનને મૂકે છે, ગૌરવને પરિહરે છે, દીનતા ધારણ M૧૯૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy