SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તથા બાહ્યઅત્યંતર તપને સમ્યફપ્રકારે પામતો નથી. ૧૧ અભવી જિનેશ્વર મહારાજની આજ્ઞા પ્રમાણે અનુભવ યુક્ત, સાધર્મિક ભાઇયોની સેવાભક્તિ પામતો નથી. ૧૨. અભવી, સંસારથી વૈરાગ્યપણું તથા શુકલપાક્ષિકપણું પામતો નથી. ૧૩ અભવી આચાર્યાદિક દસનો વિનય પામતો નથી. ૧૪ અભાવી યુગપ્રધાનપણું પામતો નથી. ૧૫ અભવી બોધિબીજને પામતો નથી. ૧૬ અભવી કાલે સુપાત્રદાન અને અંતે સમાધિમરણ પામતો નથી. ૧૭ અભવી પરમાર્થથી ગુણાધિકપણું પામતો નથી. ૧૮ અભવી ભગવાને કહેલી, અનુબંધ, હેતુ સ્વરૂપ, ત્રણ પ્રકારે અહિંસા દ્રવ્ય અને ભાવ, એ બે ભેદથી પામતો નથી. આ સંસાર સમુદ્રના સમાન છે. જેમ સમુદ્રને બહાર પરિધિ છે તેમ સંસારરૂપ સમુદ્રમાં ચોરાશી લાખ જીવાયોનિરૂપ પરિધિ છે. જેમ સમુદ્ર પાણીની ગંભીરતાથી ભરેલો છે તેમ સંસારરૂપ સમુદ્ર જન્મ, જરા, મરણરૂપ પાણીની ગંભીરતાથી ભરેલો છે. જેમ સમુદ્રમાં કાદવ હોય છે તેમ સંસારરૂપ સમુદ્રમાં કામભોગરૂપી કાદવ છે.જેમ સમુદ્રમાં ફીણ હોય છે તેમ સંસારરૂપ સમુદ્રમાં અભિમાનરૂપી ફીણ છે. જેમ સમુદ્રમાં પાતાલકલશો છે, તેમ સંસારસમુદ્રમાં ચાર ગતિરૂપ પાતાલકલશો છે, જેમ સમુદ્રમાં નાના મોટા માછલા હોય છે તેમ સંસારસમુદ્રમાં કુટુંબ રૂપ નાના મોટા માછલાઓ છે. જેમ સમુદ્રમાં મગરમચ્છ હોય છે તેમ સંસારસમુદ્રમાં મોહરૂપી મગરમચ્છ છે. જેમ સમુદ્રમાં પર્વત હોય છે તેમ સંસારસમુદ્રમાં આઠ કર્મરૂપી પર્વત હોય છે. જેમ સમુદ્રમાં વડવાનલ અગ્નિ હોય છે તેમ સંસારસમુદ્રમાં ક્રોધ રૂપી અગ્નિ છે. જેમ સમુદ્રમાં પાણીની ભમરીયો હોય છે તેમ સંસારસમુદ્રમાં કપરૂપી ભમરી છે. જેમ (૧૮૯) ૧૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy