SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ રૂપ, મનોજ્ઞપણું, પંચંદ્રિયનું પટુપણું, મહર્લ્ડિકપણું પામે છે, અને નિરંતર કુડકપટ કેતવને વિષે રક્ત રહે છે, તે પાપાનુબંધી પુન્ય કહેવાય છે, કોણિકના પેઠે. ૩. પુન્યાનુબંધી પાપ-કોઈ જીવ પૂર્વ ભવને વિષે દરિદ્રપણાથી પરાભવ પામેલો હોય અને દુષ્ટ સંગતવાળો હોય અને તેવી ખરાબ સંગતવાલો હોવા છતાં પણ, જૈનધર્મની વાસનાથી, ઈહભવમાં દરિદ્ર દુઃખી હોવા છતાં પણ, જૈનધર્મને પામે છે, તે પુન્યાનુબંધી પાપ કહેવાય છે, દ્રમક ઋષિના પેઠે. ૪. પાપાનુબંધી પાપ-જેણે પૂર્વભવમાં પાપકર્મ ઉપાર્જન કરેલું હોય, તે માણસ નિર્ધનપણું તથા પરાભવપણુ પરાભવ પામી દુઃખી થાય છે તે પાપાનુબંધી પાપ કહેવાય છે, કાળકસૂરીયા કસાઇના પેઠે. બીજા ચાર પ્રકારને પુન્યાનુબંધી ચૌભંગી ૧. પુન્યાનુંબધી પુન્ય. ૨. પાપાનુબંધી પુન્ય ૩. પુન્યાનુબંધી પાપ. ૪. પાપાનુબંધી પાપ ૧. જેમ કોઈ માણસ એક ઉત્તમ પ્રકારના ઘરથી નીકલી, બીજા ઉત્તમ પ્રકારના ઘર પ્રત્યે જાય છે, તે ઘર કેવું છે ? તે કહે છે ઉત્તમ પ્રકારનો કૃપામય ધર્મ કરવાથી, ઉપાર્જન કરેલો શુભ એવો જે મનુષ્ય ભવ, તે રૂપી ઉત્તમ ઘર, તે ઘરથકી ઉત્તમોત્તમ દેવરૂપી બીજું ઘર, તે પ્રત્યે જાય છે. તે પુન્યાનુબંધી પુન્ય કહેવાય છે, ભરતાદિવ૮. ૨. કોઈ માણસ ઉત્તમ શોભનિક ઘરથકી નીકળી, કનીષ્ટ ખરાબ ઘર પ્રત્યે જાય છે, તે ઘર કેવું છે? તે કહે છે, અન્યાય અધર્મ, પાપમય, દયાદિક વજીને, અધર્મ કરવાથી, પૂર્વે પૂન્ય કરવાથી ઉત્તમ મનુષ્ય ભવરૂપી મળેલું જે ઘર, તેને છોડી, દુઃખની ખાણરૂપ, ખરાબ નરકાદિક ભવને વિષે જાય છે, તેને પાપાનુબંધી પુન્ય કહે છે બ્રહ્મદત્ત ચક્રીના પેઠે. ૩. જેમ કોઈ માણસ અશુભ ખરાબ ઘરથી સારા ઘરે જાય છે M૧૮૫ ૧૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy