SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આહાર, વિષય પૈસો વિગેરેમાં ગૃદ્ધ થઈ દુર્ગતિમાં જાય છે. પરંતુ કાળ કોઈને છોડતો નથી. આવી રીતે અસ્થિર શરીરને માટે ઘણા જીવો ઉપક્રમો કરી દુઃખ છતાં સુખ માને છે, પરંતુ ધર્મકર્મને વિષે સુખ નહિ માનતા તેમાં પ્રયત્ન કરતા નથી અને લોભને વિષે પ્રયત્ન કરે છે. ૧૫ લોભે બિલ્લપલાશાદિક પોતાના મૂળથી નિધાનને ઢાંકે છે. ૧૬ માક્ષિકાદિકો મધુ છત્રાદિકને બનાવે છે ને લેનારને કરડી ખાય છે. ૧૭ ભમરા, ભમરીયો મધપુડા બનાવે છે ને લેનારને કરડી ખાય છે, ન નાસે તો અગ્નિમાં ભસ્મ થાય છે. ૧૮ ખંડરીટ પક્ષી નિધાનને દેખી નાચે છે. ૧૯ શીયાલાદિક નિધિ દેખીને શબ્દ કરે છે. ૨૦ ઉંદર સર્પાદિક નિધાન ઢાંકી ઉપર બેસે છે, તે કોઈ પણ જો હરણ કરે તો હૃદય સ્ફોટથી મરણ પામે છે. ૨૧ લોકોએ રક્ષણ કર્યા છતાં પણ ચોર, નટ, વિટ ભાગીદાર, રાજા, યક્ષાદિક હરણ કરે છે તો પણ નટ વિટના પેકટ સમાન કુટુંબ મોહી જીવો મોહ પામે છે, પરંતુ ધર્મને વિષે પ્રેમ ધારણ કરી ધર્મનું આરાધન કરતા નથી. (ઉપદેશ પાંસઠમો) પુણ્યાનુબંધી ચૌભંગી ૧. પુન્યાનુબંધી પુન્ય, ૨. પાપાનુબંધી પન્ય, ૩. પુન્યાનુબંધી પાપ ૪. પાપાનુંબંધી પાપ. ૧. પુન્યાનુબંધી પુન્ય જેણે પૂર્વે જૈન ધર્મના સાથે વિરોધ ન કરેલો હોય, તથા જિનેશ્વર મહારાજની આજ્ઞાનું અખંડપણે પ્રતિપાલન કરેલું હોય તે આ ભવમાં સુખ-સંપત્તિ પામે છે, ભરત મહારાજાના પેઠે. ૨. પાપાનુબંધી પુન્ય જે જીવ પૂર્વભવમાં તાપસાદિકને વિષે અજ્ઞાન કષ્ટથી તપ કર્માદિક કષ્ટને કરે છે, તે આ ભવને વિષે મનોહર M૧૮૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy