SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૧ ધર્મરહિત પિતા પુત્ર ઉપરના સ્નેહને લીધે ધર્મ નિષેધ કરવાથી ભયના હેતુભૂત છે પદ્મરથ રાજા પોતાના પુત્ર શિવકુમારને વ્રત અંગીકાર કરવામાં ભય અને અંતરાયના હેતુભૂત થયો હતો, અગર બીજા પ્રસંગથી પોતાના પુત્રના અંગોપાંગ છેદાવનાર કનકકેતુ રાજા ભયના હેતુભૂત થયો હતો. ૨ સ્નેહાદિકથી માતા પણ પુત્રને ભયના હેતુભૂત થાય છે. ચંદ્રમતીએ યશોધર રાજાને ધર્મનો નિષેધ કરાવ્યો હતો અગર બીજે પ્રકારે ચૂલનીયે પોતાના પુત્ર બ્રહ્મદત્તને મારવાને ઉપક્રમે કરી પોતે ભયના કારણભૂત થઈ હતી. - ૩ પુત્રનો સ્નેહ પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને ભયના હેતૃભુત થયો હતો, સાતમી નરકના દળીયા અને પાછળથી કેવલજ્ઞાન. ૪ ભાર્યા પણ ભયના હેતુભૂત થાય છે. એક માણસ પાસે ગૌતમસ્વામીએ નીર્ધામણા કરાવવા માંડેલ તેથી પોતાના સ્વામીનું મરણ નિશ્ચય જાણી તેની સ્ત્રિયે પોતાનું માથું ભીંત સાથે અફલાવ્યું, તેથી તેના માથામાંથી નીકળેલા લોહીને દેખી, મોહિત તેના સ્વામીનો જીવ તેમાં રહેવાથી મરીને, તે લોહીમાં કીડાપણે ઉત્પન્ન થયો, તેથી સ્ત્રી ભયના હેતુભૂત છે. અગર સૂરીકાંતાએ પોતાના સ્વામી પ્રદેશ રાજાને પરપુરુષના સ્નેહથી, ઝેર દઈને માર્યો, તેથી પણ સ્ત્રી ભયના હેતુભૂત છે, અગર કોઈ સ્ત્રી પોતાના પતિના મરણથી, તેનો વિરહ નહિ સહન કરી શકવાથી, અગ્નિને વિષે પડી બળી મરે છે અને ધર્મ થકી ભ્રષ્ટ થાય છે. અગર એક નાસ્તિકે, પોતાની આસ્તિક સ્ત્રીને વૃકનું પગલું પડાવી નાસ્તિક બનાવી, ધર્મજીવિતથકી ભ્રષ્ટ કરી, દુર્ગતિમાં દાખલ કરી હતી, તે સ્ત્રીને પતિ પણ ભય અને અંતરાયના હેતુભૂત છે. ૫ સ્નેહથી સ્વજનવર્ગ પણ ધર્મભ્રષ્ટના હેતુભૂત થાય છે. કાલક સૂરીયા કસાઇયે, પોતાના પુત્ર સુલસ આદિ કુટુંબને પાડા મારવાની ૧૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy