SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે, તારુણ્યપણાને વિષે રાગ, દ્વેષ, પ્રેમ, પાશ, ધનાશાદિકમાં અનેક કુકર્મો કરે છે, દેશાંતરમાં જાય છે અને બહુ જ દુઃખ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં પણ અશક્તિ, ધિક્કારાદિક દુઃખને વિષે કષ્ટ સહન કરે છે, તેમજ રોષ, તોષ, પોષ, રોગ, શોકના, દુઃખાદિકથી બળી જઈ માનવ જન્મને એળે ગુમાવી, અનંત સંસાર રઝળે છે. પછી માનવજન્મને પામી, સમ્યકત્વને ઉપાર્જન કરે છે. સમ્યક્ત્વ પામ્યા પછી બે થી નવ પલ્યોપમે, દેશવિરતિપણાને પામી શકે છે. દેશવિરતિપણું પામ્યા પછી, સંખ્યાતા સાગરોપમે સર્વવિરતિપણું પ્રાપ્ત કરે છે. પછી સંખ્યાતા સાગરોપમ ક્ષય થયે, ઉપશમશ્રેણી પામે છે. પછી અસંખ્યાતા સાગરોપમે ક્ષપકશ્રેણી પામી, કેવળજ્ઞાન ઉપાર્જન કરી મોક્ષ મેળવે છે. કેટલાકને અપ્રતિપાતિ સમ્યકત્વ પ્રાપ્ત થયા છતાં પણ, કેટલેક ભવે મોક્ષ પ્રાપ્ત થાય છે. કેટલાયેક તીવ્ર શુભ પરિણામવાળા જીવોને, ઉપશમશ્રેણી છોડી, બીજી તમામ શ્રેણીયો પ્રાપ્ત થવાથી શીઘ્ર મોક્ષ મળે છે. કેટલાયેક જીવો દેવ મનુષ્યમાં સમ્યકત્વથી નહિ પડવાથી, બીજી શ્રેણિયોને ત્યાગ કરી, એક જ ભવમાં સર્વ શ્રેણિયો પ્રાપ્ત કરી, જલ્દીથી મોક્ષને મેળવે છે. (ઉપદેશ પ્રેસઠમો) સંસારી સ્નેહ पिययमायवच्च भज्जा, सयण धण सबळ तिथि मंत्ति निवा । नागरिय अहम पमाया, परमत्थ मयाणि जीवाणं ॥१॥ | ભાવાર્થ : પિતા, માતા, પુત્ર, ભાર્યા, સ્વજન, ધન, સબલર્થિક મંત્રી રાજા, નગરના લોકો આ દસે અધર્મી હોય તો પરમાર્થીથી જીવોને ભય કરવાવાળા થાય છે. M૧૭૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy