SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે, શૂળીમાં પરોવાય છે, વડિશથી વિધાય છે, અગ્નિથી પચાય છે, ભાઠાથી શકાય છે, કડકડતા તેલના તવામાં તળાય છે, માંસાર્થિયોથી પકડાય છે, બગલા આદિથી ગળાય છે, એવા પ્રકારના દુઃખોને જળચર જીવો સહન કરે છે, સ્થળચરને વિષે પણ ડુક્કર, સસલા, મૃગલા, હરણિયા, નાહાર વાઘ, ચિત્રા, હાથી, બળદાદિક જે તે વ્યાપાદિકથી તથા રક્ષણ કરનારા માણસોથી પણ વિના અપરાધે દુઃખદ અવસ્થા પામે છે. આર, ભાલા, તરવાર, અંકુશ, કશા, યષ્ટી, મુષ્ટી, પરોણાથી અનેક પ્રકારે માર ખાય છે. શીત, વાત,આતપ, સુધા, તૃષાદિક અનેક દુઃખોને સહન કરે છે, તેમા વર્ષાઋતુમાં પણ ઘણા દુઃખોને સહન કરે છે, અંકન, નાથન દોહન, ધ, બંધન, પંઢીકરણ, દુર્વચનાદિક દુઃખોથી બહુ જ ત્રાસિત થાય છે. ખેચરને વિષે બળરહિત, કબૂતરાદિક જીવોને શ્યનાદિક, હિંસક બલીષ્ટ જીવો પણ પગથી પકડે છે, મુખથી છેદે છે, ચાંચોથી ઉતરડે છે અને માંસને માટે નાના પ્રકારની કદર્થનાને કરે છે. મયૂર મત્સાદિકના માંસને ભક્ષણ કરનારા નરકમાં જઈદારૂણ વેદના ભોગવે છે. ત્યાં પણ શીત, ઉષ્ણ, અન્યોન્ય પરસ્પર તેમજ પરમાધામીકૃત, અસહ્ય અનંત વેદના ભોગવે છે. ત્યાંથી નીકળી સિંહાદિકને વિષે જઇ, નરકમાં ઉત્પન્ન થાય છે, એમ અનંત કાળ સુધી રઝલ્યા કરે છે, ત્યાંથી નીકળી અનાર્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ અગમ્યામાં ગમન કરી, અસેવ્યને સેવન કરી, અભક્ષ્યને ભક્ષણ કરી, અપેયનું પાન કરી, તિર્યંચ તથા નરકને વિષે જાય છે, એવી રીતે અનંત કાળ સુધી ભમે છે. આવી રીતે ભમતા ભટકતાં, અનંત કાળે માનુષ્યપણામાં આવે છે, તેમાં પ્રથમ ગર્ભાવાસની તથા પ્રસવની અનંતી વેદના સહન કરે છે, બાળપણે, મળ-મૂત્ર-વિષ્ટામાં અચેતનના પેઠે દુઃખે કરી કાળ ગુમાવે ૧૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy