SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પ્રેરણા કરી હતી. ૬ ધન છે તે પણ ભયના હેતુભૂત થાય છે. શ્રીપુરનગરે શ્રેષ્ઠિ નિધાન ઉપર ફણિધર થયો. સગર ચક્રવર્તી પુત્રોના લોભથી દુ:ખી થયો. કુચીકર્ણ ગોધનથી દુ:ખી થયો. તિલક શ્રેષ્ઠી દાણાના લોભથી દુઃખી થયો, નવનંદ સુવર્ણના નવ ઢગલાના લોભથી પણ તૃપ્તિ પામેલ નથી, માટે લોભના ત્યાગથી ચક્રવર્તીઓ પણ મોક્ષમાં જાય છે. ૭ સબલતીર્થિકો. તે ૨ પ્રકારના છે : ૧ સ્વસબલતીર્થિકો ૨ પરસબલતીર્થિકો તેમાં. ૧ સ્વસબલતીર્થિકો તે પાસત્કાદિક કહેવાય છે, કારણ કે તેઓ નિધ્વંસ પરિણામી હોય છે, લોકોને ઉપદેશ એવો આપે કે તેને વચને વચને શંકા ઉત્પન્ન થાય, તેવા યાદશ તાદેશ વચનો કહે છે, અને મિથ્યાત્વની પુષ્ટિ કરે છે, અને આગમ રીતિથી રહિત સમ્યક્ત્વ વર્જિત ધર્મ પરિણામ પતિત હોવા છતાં પણ શ્રાવકોને પોતાના ગુણો વારંવાર બતાવે છે. વળી પોતાની આજીવિકાના લોભથી અગર માથું ફોડીને પણ તેને ભય બતાવે છે, શ્રાવિકાઓને સુવિહત મુનિરાજો પ્રત્યે ધર્મશ્રવણ કરવા જતા અટકાવે છે, મંત્ર, તંત્ર, જયોતિષ ચિકિત્સાદિકથી, રાજા મંત્રી આદિને વશ કરી માન મેળવી બલવંત થયેલા સ્વસબલતીર્થિકો કહેવાય છે. ૨ અને પરસબલતીર્થિકોબૌદ્ધો અને બ્રાહ્મણદિકો કહેવાય છે. ૮ રાજાના મંત્રીઓ ઘણા લોકોને ભ્રષ્ટ કરવાવાળા થાય છે. જેમકે શોભને દીક્ષા લીધા પછી ધનપાળ પંડિતે, ભોજ રાજાને ઊંધું ચીતું ભરાવી ૧૨ વર્ષ સુધી સારા માળવા દેશમાં જૈન સાધુનો વિહાર અટકાવ્યો હતો વિગેરે પ્રસિદ્ધ છે. ૯ રાજાઓ પણ ધર્મરહિત પણાથી એવા જ હોય છે. પ્રદેશી રાજા ૧૮૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy