SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પેઠે ચંચળ, તેમજ કુશાગ્ર ભાગને વિષે રહેલા ચંચળ જળના બિંદુના પેઠે આયુષ્ય જે તે પણ નાશવંત છે, એ આયુષ્યનો કેટલોએક ભાગ, ગર્ભાવાસની અંદર નરકવાસના પેઠે, મહાદુઃખે કરીને વ્યતીત થાય છે, અને તે સ્થિતિના મહિનાઓ પલ્યોપમના જેવા થઈ પડે છે. જમ્યા પછી બાલ્યાવસ્થાના આયુષ્યનો કેટલો ભાગ અંધની પેઠે પરાધીનપણામાં જ ચાલ્યો જાય છે. યોવનમાં ઇંદ્રિયાથને આનંદ આપનારા સ્વાદિષ્ટ રસના આસ્વાદમાં જ કેટલા આયુષ્યનો ભાગ ઉન્મત માણસના પેઠે વ્યર્થ જાય છે અને વૃદ્ધાવસ્થા, ત્રિવર્ગ સાધનામાં અશકત થએલા, પ્રાણીઓનું અવશેષ આયુષ્ય સૂતેલા માણસની પેઠે ફોગટ ચાલ્યું જાય છે. જેમ વિષયના સ્વાદથી લંપટ થએલ પુરુષ રોગના માટે જ કલ્પાય છે, તેમ આવી રીતે જાણતાં છતાં પણ સંસારી જીવો, સંસારને માટે કલ્પાય છે. સંસારી જીવો સંસારની વૃદ્ધિ કરવા માટે જ તેની ચેષ્ટા કરવાથી પરિભ્રમણ માટે જ કલપ્યા છે, યૌવનવયમાં વિષયને માટે, મનુષ્યો જેવી રીતે પ્રયત્ન કરે છે. તેવી રીતે જો મુક્તિને માટે પ્રયત્ન કરે તો, શું ન્યૂન રહે ? વળી કરોળીઓ, પોતાની જ તંતુકાળમાં વીંટાઈ જાય છે તેમ પ્રાણીઓ પણ પોતાના જ કરેલા કર્મપાશમાં પોતે જ વીંટાઈ જાય છે. સમુદ્ર મધ્યે નાખેલ યુગમશીલા-એકત્ર મળવા જેમ મહામુશીબત છે તેમ જ પ્રાણીઓને ઘણા જન્મો કર્યા છતાં પણ મનુષ્યજન્મની પ્રાપ્તિ થતી બહુ જ મુશીબત છે, કારણ કે ઘણા પુન્યના યોગે જ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. તેમાં પણ આર્ય દેશમાં જન્મ, સારા કુળની પ્રાપ્તિ અને ગુરુકુળ સેવા-એવી દુષ્કર સામગ્રી પામ્યા છતાં પણ જે પ્રાણી પોતાના કલ્યાણને માટે પ્રયત્ન કરતો નથી. તે તૈયાર રસોઈ મળ્યા છતાં પણ ભૂખ્યો બેસી રહેનાર માણસના જેવો છે તેમ જાણવું. સ્વાર્માદિક ઊર્ધ્વ ગતિ અને નરકાદિક અધોગતિ આ બન્ને પોતાને જ આધીન જ છે, તો પણ જડ બુદ્ધિવાળા પ્રાણી, જળની પેઠે અધોમુખે ૧૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy