SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તો દુર્ગતિમાં જાય છે. માટે માંદગીના ટાઇમને વિષે પણ સર્વથા મધ છોડી દેવું. ઉંબરો, વડ, પીપર, પીપળો, કાકઉદંબરના ફળો, ઘણા જ જીવજતુંઓથી સંપૂર્ણ ભરેલા હોય છે તેથી તે પાંચે વૃક્ષોના ફળો કદાપિ કાળે ખાવા લાયક નથી. બીજું ભક્ષ્ય ન મળ્યું હોય અને શરીર સુધાથી દુર્બલ થયું હોય તો પણ પુન્યશાળી જીવોએ એ પાંચમાંથી એકેના પણ ફળ ખાવા નહિ. | સર્વ જાતિના આદ્ર કંદ, સર્વ જાતિના કુંપળીયા, સર્વ જાતિના થોર, લવણ વૃક્ષની છાલ, કુંવાર, ગિરિકર્ણિકા, શતાવરી, વિરૂઢ, ગચી, કોમળ આંબલી, પભ્રંક, અમૃતવેલ, સુકર જાતિના વાલ અને બીજા સૂત્રમાંહે કહેલા જે અનંતકાયના પદાર્થો કે જે મિથ્યાષ્ટિઓથી અજાણ્યા છે તે સર્વનો દયાળુ જીવોએ પ્રયત્નથી ત્યાગ કરવો. શાસ્ત્રોને વિષે નિષેધ કરેલા ફળોનું ભક્ષણ કરવામાં, તેમજ વિષફળનું ભક્ષણ કરવામાં આ જીવની પ્રવૃત્તિ ન થાઓ એ હેતુથી ડાહ્યા માણસોએ, પોતે જાણેલા ફળનું ભક્ષણ કરવું પરંતુ અજાણ્યું ફળ ખાવું નહિ, રાત્રિને વિષે નિરંકુશપણે ફરતા, પ્રેત પિશાચ વિગેરે ક્ષુદ્ર દેવોથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે, તેથી રાત્રિને વિષે કદાપિ કાળે ભોજન કરવું નહિ, રાત્રિ ભોજનથી થતું નુક્સાન રાત્રિના ઘોર અંધારા સમયે, માણસની દૃષ્ટિ સંધાએલી હોવાથી ભોજન વિષે પડતા જંતુઓને તેનાથી જોઇ શકાતા નથી, તેવા રાત્રિભોજનને કોણ કરે ? રાત્રિએ ભોજન કરવાથી, ભોજનમાં કદાચ કીડી આવી ગઈ હોય તો બુદ્ધિનો નાશ કરે છે, જૂ ખાવામાં આવી ગઈ હોય તો જળોદરનો રોગ થાય છે, માખી ખાવામાં આવી ગઈ હોય તો વમન કરાવે છે, ૧૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy