SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કરોળીયો આવી ગયો હોય તો કુષ્ટનો રોગ કરે છે, કાંટો તેમજ લાકડાનો ટુકડો ખાવામાં આવી ગએલ હોય તો ગળાને વિષે પીડા કરે છે, વીંછી આવી ગએલ હોય તો તાળવાને વીંધે છે-ડંખ મારે છે, વાળ આવી ગયો હોય તો ગળામાં પીડા કરી સ્વરભંગ કરે છે આ વિગેરે અનેક દોષોને સર્વે મનુષ્યોએ રાત્રિ ભોજનમાં દેખેલ છે. વળી રાત્રિએ સૂક્ષ્મ જંતુઓ પણ દેખવામાં નહિ આવવાથી, પ્રાસુક પદાર્થો પણ રાત્રિએ ખાવા નહિં કારણ કે તે વખતે ભોજનમાં અનેક સૂક્ષ્મ જંતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં અનેક જીવો ઉત્પન્ન થાય છે, તેવા રાત્રિભોજનને જમનારા મૂઢ માણસો, રાક્ષસથકી પણ અધિક અધમ ગણાય છે. જે માણસ રાત્રિદિવસ ભક્ષણ ભોજન કર્યા કરે છે તે શ્રૃંગ પુચ્છ વિનાના સાક્ષાત્ પશુ સમાન ગણાય છે. રાત્રિભોજનના નિયમને જાણના૨ જે માણસ દિવસમાં પ્રારંભની તથા અંતની બબે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે તે પુન્યશાળી કહેવાય છે. જેમ રૂા. આપ્યા હોય પરંતુવ્યાજ લેવાનું નામ ન પાડેલું હોય, તેમજ બોલી ન કરેલી હોય તો વ્યાજનો વધારો મળી શકતો નથી, તેમજ કોઈ માણસ રાત્રિભોજન ન કરતો હોય, પરંતુ જો નિયમ ન કરેલો હોય તો તે ચોખા ફળને પામી શકતો નથી, માટે જ રાત્રિભોજનનો નિયમ કરવો જોઇએ. જે માણસ દિવસનો ત્યાગ કરી રાત્રિએ ભોજન કરે છે, તે માણસ રત્નોનો ત્યાગ કરી કાચનો સ્વીકાર કરે છે. રાત્રિભોજન કરનારા પરભવને વિષે ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, શંબર, મૃગ, ભુંડ, સર્પ, વીંછી ઘો, ઘરોળી વિગેરેના અવતારોને પામે છે. જે ભાગ્યશાળી જીવો રાત્રિભોજનનો પરિહાર કરે છે તેઓ પોતાના આયુષ્યના અર્ધા ભાગના ઉપવાસના ફળને જરૂર પામે છે, Jain Education International ૧૬૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy