SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે તે ધર્મરૂપી વૃક્ષના દયા નામના મૂળનું ઉમૂલન કરે છે, જે માણસ હંમેશા માંસનું ભક્ષણ કરતો દયા પાળવાની ઇચ્છા કરે છે તે પ્રજવલિત અગ્નિમાં વેલડીઓને રોપણ કરવાનું ઇચ્છે છે. જે માણસ માંસભક્ષણ કરવામાં લુબ્ધ હોય છે તેની બુદ્ધિ દુબુદ્ધિવાળી ડાકણના પેઠે તમામ પ્રાણીને હણવામાં પ્રવર્તેલી છે. જેઓ દિવ્ય ભોજન છતાં પણ માંસનું ભક્ષણ કરે છે તેઓ અમૃત રસને છોડી હલાહલ વિષનું ભક્ષણ કરે છે. જે માણસ નરકરૂપી અગ્નિમાં લાકડાના જેવા પોતાના માંસને બીજા જીવોના માંસથી પોષણ કરવાની ઇચ્છા કરે છે તેના જેવો બીજો કોઈ પણ જીવ કનીષ્ટ તેમજ નિર્દય નથી. શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થએલા વિઝારસથી વધેલા લોહી વડે કરી ઠરી ગએલા અને નરકમાં પડવાના ફલના સમાન માંસનું કોણ બુદ્ધિમાન ભક્ષણ કરે ? आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ॥१॥ | ભાવાર્થ : કાચા, પાકામાં સમાં અને પચવાતી એવી માંસની પેશીમાં સદા નિરંતર નિગોદીયા જીવોનો ઉપપાત કહેલો છે. मांसाशिनो नास्ति दया सुभाजां, दयां विना नास्ति जनस्य पुण्यम् । पुण्यं विना याति दुरंत दुःख, संसारकांतारमलभ्यपारम् ॥२॥ | ભાવાર્થ : માંસભક્ષણ કરનારને પ્રાણીયોને વિષે દયા હોતી નથી, દયા વિના માણસને પુણ્ય થતું નથી, પુણ્ય વિના પ્રાણિયો દુઃખે કરીને અંત થાય તેવા પારવિનાના મોટા સંસારવનના દુ:ખને પામે છે એટલે પુણ્ય રહિત જીવો દીર્ઘકાળ સુધી સંસાર રૂપી વનમાં ભટક્યા કરે છે, પરંતુ ભવનો પાર પામતા નથી. मज्जे महंमि मंसंमि, न वणीयंमि चउत्थए । उप्पज्जंति असंखा तव्वन्ना तत्थ जंतुणो ॥१॥ ૧૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy