SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ગ્લાનિ આપી મહાન્ મૂચ્છ પમાડે છે. જેમ અગ્નિના એક તૃણ માત્રથી મોટી એવી ઘાસની ગંજી બળી જાયછે, તેમ મદ્યપાન કરનારના વિવેક સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષણા વિગેરે વિલીન થઈ જાય છે. મદિરાના રસમાં ઘણા સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે, તેથી હિંસાથી ઉત્પન્ન થતા ભીરુ પુરુષોએ કદાપિ કાળ-પ્રણાંતે પણ મદ્યપાન કરવું નહિ. મદ્યપાન કરનારની બુદ્ધિ બહેર મારી જવાથી આપેલને નહિ આપેલ, લીધેલને નહિ લીધેલ કહે છે, કરેલને નહિ કરેલ અને નહિ કરેલને કરેલ કહે છે. મદ્યપાન કરનાર માણસ મૂઢ બુદ્ધિવાળો થઈ, રાજયાદિકના ભયને વિસારી મુખમાં જેમ આવે તેમ બોલે છે. તથા ઈહલોક પરલોકના ભયને વિસારી દઈ, ઘરે બાહિર કે જંગલમાં જ્યાં મળે ત્યાંથી પારકાના દ્રવ્યને ખેંચી લે છે. મદ્યપાનના પરવશપણાથી ઉન્મત્ત થએલો માણસ, બાલિકા, યુવતી, બ્રાહ્મણી, ચંડાળણી, વૃદ્ધાઅવસ્થાવાળી વિગેરે સ્ત્રીઓ પ્રત્યે ગમન કરે છે. મદ્યપાનના કેફમાં ચકચૂર થએલો માણસ, હસતો, રડતો, બેસતો, ઉઠતો, દોડતો, લોટતો, નમતો, ભમતો, નટની જેમ અનેક પ્રકારની ક્રિયા કરતો ભટક્યા કરે છે. નિરંતર અનેક પ્રાણીઓનું ભક્ષણ કરવા છતાં પણ જેમ યમરાજ તૃપ્તિ પામતો નથી તેમજ સર્વ દોષોના કારણભૂત એવા મદ્યપાન કરનાર માણસ મદ્યપાનથી ધરાતો નથી, માટે જ રોગી જેમ અપથ્યનો ત્યાગ કરે છે તેમ સર્વ જીવોએ મદ્યપાનને ઉચ્છિષ્ટ પદાર્થ જાણીને દૂરથી જ છોડી દેવું જોઇએ. જે માણસો પ્રાણીઓના પ્રાણને હરણ કરી માંસની ઇચ્છા કરે ૧૬૪ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy