SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કુણિત્વપણું વિગેરે હિંસાના ફળને દેખી, નિરાપરાધીત્રસ જંતુઓની હિંસા સંકલ્પથી પણ છોડી દેવી જોઇએ. મન્મનપણું, કાહલપણું, મુંગાપણું, મુખરોગીપણું વિગેરે અસત્યના ફળને જોઇ, કન્યાઅલિ વિગેરે પાંચ મોટા અસત્ય છોડી દેવા, એટલે કન્યા, ગાય ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી, ખોટી સાક્ષી પૂરવી, એ પાંચ ધૂળ મોટા અસત્ય કહેવાય છે તેને છોડી દેવા. દાસત્વ, દૌભાર્ગવ, દરિદ્રતા, કાસીદુ અંગનો છેદએ વિગેરે અદત્તાદાન ચોરી વિગેરેના ફળ જાણી ધૂળ ચૌર્યનો ત્યાગ કરવો, તે અદત્તાદાન ત્યાગ કહેવાય છે. નપુંસકપણું અને ઇંદ્રિયનો વિચ્છેદ એ બ્રહ્મચર્યના ફળને જાણી, સબુદ્ધિવંત પુરુષે, સ્ત્રીમાં સંતુષ્ટ થઈ, પરસ્ત્રીનો ત્યાગકરવો, અસંતોષ અવિશ્વાસ આરંભ અને દુઃખ એ સર્વ પરિગ્રહની મૂચ્છના ફળને જાણી, પરિગ્રહનું પ્રમાણ કરવું તે પાંચમુ અણુવ્રત કહેવાય છે. દશે દિશામાં નિર્ણય કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું, તે દિવિરતિનામનું, પ્રથમ ગુણવ્રત કહેવાય છે જેને વિષે શક્તિપૂર્વક ભોગ ઉપભોગની સંખ્યા કરાય તે ભોગોપભોગપ્રમાણ નામનું બીજું ગુણવંત કહેવાય છે. આર્ત અને રૌદ્ર એ બે અપધ્યાન, પાપકર્મનો ઉપદેશ, હિંસક અધિકરણોનું આપવું, તેમજ પ્રમાદાચરણનું સેવન કરવું, તે ચારે પ્રકારે અનર્થદંડ કહેવાય છે. શરીરાદિ અર્થદંડના પ્રતિપક્ષ પણે રહેલ અનર્થદંડનો ત્યાગ કરવો એ ત્રીજું ગુણવ્રત કહેવાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને, તથા સાવદ્ય કર્મને છોડી દઈને, અંતર્મુહુર્ત બે ઘડી સુધી સમતા ધારણ કરવી તે સામાયિક કહેવાય છે. દિવસ અને રાત્રિ સંબંધી દિવ્રતમાં પરિમાણ કરેલું હોય, તેનું M૧૬૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy