SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પ્રતિપત્તિ રહેવી તે આસ્તિકય કહેવાય છે. એવી રીતે સમ્યમ્ દર્શન વર્ણવેલું છે. તેની ક્ષણવાર પણ પ્રાપ્તિ થતાં પૂર્વનું જે મતિ અજ્ઞાન પરાભવને પામીને, શ્રુત જ્ઞાનપણાને પામે છે, અને વિર્ભાગજ્ઞાન પરાભવને પામીને અવધિજ્ઞાનના ભાવને પામે | સર્વ સાવદ્ય યોગનો જે ત્યાગ તે ચારિત્ર કહેવાય છે, અને તે અહિંસાદિક વ્રતના ભેદથી પાંચ પ્રકારે કહેલ છે. અહિંસા, સત્ય અચૌર્ય, બ્રહચર્ય, અને અપરિગ્રહ-એ પાંચ વ્રતો પાંચ પાંચ ભાવનાઓ યુક્ત થવાથી મોક્ષને અર્થે થાય છે. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર જીવોના જીવિતવ્યનો નાશ ન કરવો તે અહિંસા વ્રત કહેવાય છે. પ્રિય હિતકારી, સત્ય વચન બોલવું તે સત્યવ્રત કહેવાય છે, અપ્રિય અને હિતકારી, સત્ય વચન પણ અસત્ય સમાન જ ગણી શકાય છે. અદત્ત વસ્તુનું ગ્રહણ ન કરવું તે અસત્ય વ્રત કહેવાય છે, કેમકે દ્રવ્ય એ મનુષ્યનો બાહ્ય પ્રાણ છે, તેથી તેનું હરણ કરનાર પુરુષ તેના પ્રાણને હરણ કરે છે એમ જાણવું. - | દિવ્ય એટલે વૈક્રિય અને ઔદારિક શરીરવડે કરી, અબ્રહ્મચર્ય સેવનનું, મન વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદન કરવું એ ત્રણે પ્રકારે વર્જન કરવું તે બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે, અને તેના અઢાર થાય છે. | સર્વ પદાર્થો ઉપરથી મોહ મૂછનો ત્યાગ કરવો તે અપરિગ્રહ વ્રત કહેવાય છે, કેમકે મોહથી અછતી વસ્તુમાં પણ ચિત્તનો વિપ્લવ થાય છે, યતિ ધર્માનુરક્ત એવા યતદ્રોને આ પ્રમાણે સર્વથી ચારિત્ર કહેલું છે, અને ગૃહસ્થોને દેશથી ચારિત્ર કહેલું છે. સમકિત મૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતએ પ્રમાણે ગૃહસ્થોના બાર વ્રતો છે. બુદ્ધિવંત પુરુષો એ પંગુપણું, કુષ્ટિપણું, ૧૫૯) ૧૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy