SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સંક્ષેપણ કરવું, તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ચાર પર્વને દિવસે ઉપવાસ વિગેરે તપ કરવો, કુવ્યાપાર એટલે સંસાર સંબંધી સર્વ વ્યાપારનો ત્યાગ કરવો, તથા બ્રહ્મચર્ય પાળવું તેમ જ બીજી સ્નાનાદિક ક્રિયાનો ત્યાગ કરવો તે પૌષધવ્રત કહેવાય છે. અતિથિ મુનિને ચતુર્વિધ આહાર વિગેરેનું દાન કરવું તે અતિથિ સંવિભાગ નામે વ્રત કહેવાય છે. મોક્ષની પ્રાપ્તિને અર્થે સાધુઓ અને શ્રાવકોએ સમ્યક્ પ્રકારે ત્રણ રત્નોની હંમેશા ઉપાસના કરવી. (ઉપદેશ ઓગણસાઠમો) મધપાનથી થતું નુક્સાન સર્વ પ્રાણીઓને લક્ષ્મી વિદ્યુતના વિલાસના જેની ચપળ છે, સંયોગો છેવટે વિયોગોને જ પ્રાપ્ત કરાવનારા તથા સ્વપ્રમાં પ્રાપ્ત થએલા દ્રવ્ય જેવા છે, યૌવન મેઘની છાયા જેવું નાશવંત છે પ્રાણીઓનું શરીર જળના પરપોટા જેવું છે, તેથી આ અસાર સંસારમાં બીજું કાંઈ પણ સારભૂત નથી માત્ર જ્ઞાન, દર્શન, ચારિત્રનું પ્રતિપાલન કરવું તે જ સારભૂત છે. તેમાં તત્ત્વ ઉપર જે શ્રદ્ધા, તે સમ્યક્ દર્શન કહેવાય છે, યથાર્થ તત્ત્વનો બોધ, તે જ્ઞાન કહેવાય છે, અને સાવદ્ય યોગની જે વિરતિ તે મુક્તિનું કારણ ચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર મુનિઓને સર્વાત્મપણે અને ગૃહસ્થોને દેશથી હોય છે. શ્રાવક યાવજીવ દેશ ચારિત્રને વિષે તત્પર સર્વ સાધુઓનો ઉપાસક સંસારના સ્વરૂપનો જાણનારહોય છે, શ્રાવકે મદ્ય, મદિરા, માંસ, માખણ પાંચથી નવ પ્રકાર સુધી પાંચ પ્રકારના ઉદ્દેબરાદિક વૃક્ષોના ફળો એટલે ઉંબરો, વડલો, પીપર, પીપળો, કાક ઉદુંબર આના ફળો જીવોથી બહુ જ વ્યાપ્ત હોય છે તે, ૧૦ અનંતકાય કંદમૂળ ૧૧ અજાણ્યા ફળ ૧૨ રાત્રિભોજન ૧૩ કાચા દૂધ દહીં છાશના સાથે મળેલું દ્વિદલ એટલે ઊનું કર્યા વિનાના કાચા દૂધ, દહીં, છાશની સાથે જેની ૧૬૧ Jaibid inક્રમોનર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy