SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પેઠે કોઈ પણ પરિણામ વિશેષથીત્યાં જ વિરામ પામે છે ત્યાં જ ઠરી જાય છે. કોઈક પ્રાણીઓ કે જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વ કરણવડે કરી, પોતાના બળવીર્યને પ્રગટ કરીને મોટા માર્ગને ઉલ્લંઘન કરનારા મુસાફરો લોકો જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરી જાય છે. તેમજ દુર્લધ્ય એવી ગ્રંથીને તત્કાળ ભેદી નાખે છે. પછી કેટલાએક ચારે ગતિવાળા પ્રાણીઓ, અનિવૃત્તિ કરણવડે કરીને, મિથ્યાત્વ વિરલ કરી, અંતર્મુહૂર્ત માત્ર સમ્યગ દર્શને પામે છે, તે નૈસર્ગિક સ્વાભાવિક સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. ગુરુના ઉપદેશના આલંબનથી ભવ્ય પ્રાણીઓને જે સમકિત ઉત્પન્ન થાય છે તે ગુરુના અધિગમની ઉત્પન્ન થએલું સમકિત ઉત્પન્ન થએલું સમકિત કેહવાય છે. સમકિતના ઔપથમિક, સાસ્વાદન , ક્ષયોપથમિક વેદક અને ક્ષાયિક એવા પાંચ પ્રકાર છે. જેની કર્મગ્રંથી ભેદ પામેલી છે એવા પ્રાણીને જે સમકિતનો લાભ પ્રથમ અંતર્મુહર્ત માત્ર થાય છે તે ઔપશમિક સમકિત કહેવાય છે. તેમજ ઉપશમશ્રેણીના યોગથી જેનો મોહ શાંત થયો છે એવા દેહીને, મોહના ઉપશમથી જે ઉત્પન્ન થાય છે પણ સમકિત ઔપથમિક કહેવાય છે. સમ્યગુ ભાવને ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થએલા પ્રાણીને અનંતાનુબંધી કષાયનો ઉદય થતા ઉત્કૃષ્ટથી ૬ આવલી પર્યત અને જઘન્યથી એક સમય સમકિતના પરિણામ રહે તે સાસ્વાદન સમકિત કહેવાય છે. મિથ્યાત્વમોહનીયનો ક્ષય અને ઉપશમ થવાથકી ઉત્પન્ન થએલું ત્રીજું લાયોપશિમ સમ્યક્ત્વ કહેવાય છે. જે સમકિત મોહનીના ઉદય પરિણામવાળા પ્રાણીને થાય છે તે વેદક નામનું ચોથું સમકિત કહેવાય છે. ક્ષાયિકભાવને પ્રાપ્ત થએલા અનંતાનુબંધી કષાયની ચોકડી ક્ષય ૧૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy