SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તથા યાત્ શબ્દવડે કરી લાંછિત એવું શ્રુતજ્ઞાન અનેક પ્રકારે કહેલું છે. દેવતા તથા નારકીના જીવોને ભવ સંબંધી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે તે અવધિજ્ઞાન ક્ષય ઉપશમ લક્ષણવાળું છે અને મનુષ્ય તથા તિર્યંચને આશ્રીને તેના મુખ્ય છ ભેદો કહેલા છે. મન:પર્યવ જ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ એવા બે પ્રકારનું છે. તેમાં વિપુલમતિનું વિશુદ્ધિપણું અને અપ્રતિપાતિપણું વિશેષ કરીને સમજવાનું છે, સમગ્ર વ્યપર્યાયના વિષયવાળું વિશ્વનાલોચન સમાન એક અનંત, ઇંદ્રિયોના વિષય વિનાનું જે જ્ઞાન હોય તે જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રોક્ત તત્ત્વને વિષે જે રુચિ તે સમ્યક્રશ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા સમકિતસ્વભાવથી તથા ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. આઅનાદિ સંસારના આવર્તમાં વર્તતા પ્રાણીઓને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. અનુક્રમે ફલના અનુભવથી તે સર્વ કર્મો પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતો પત્થર જેમ ગોળ થઈ જાય છે તેમ તે ન્યાયે પોતાની મેળે ક્ષય પામે છે. એ પ્રમાણે કર્મની અનુક્રમે ર૯, ૧૯, ૬૯ કોટાકોટી સાગરોપમની સ્થિતિ ક્ષય પામે છતે. અને દેશે ઊણી કાંઈક ઓછી એક કોટાકોટી સાગરોપમની સ્થિતિ બાકી રહે છે. ત્યારે પ્રાણી યથાપ્રવૃત્તિ કારણ વડે કરી ગ્રંથીદેશને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના દુઃખે કરીને ભેદ કરી શકાય. એવા જે પરિણામ તે ગ્રંથી કહેવાય છે. તે ગ્રંથી કાષ્ઠની ગાંઠ જેવી દુરચ્છેદ અને ઘણી જ દૃઢ હોય છેકિનારા સમીપે આવેલું વાયુપ્રેરિત વાહણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે છે તેમ રાગાદિકથી પ્રેરેલા કેટલાએક જીવો ગ્રંથીને ભેદ્યા વિના જ ગ્રંથી સમીપથી પાછા ફરે છે. કેટલાએક પ્રાણીઓમાર્ગમાં સ્કૂલના પામેલા સરિતાના જળની (૧૫૬) ૧૫૬ * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy