SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ભયવાળા માણસો એવામાં ઘંટીનું પડ જળમનુષ્યો ઉપર મૂકવા વિલંબ કરે છે. તેવામાં બીજા નિષ્કરણ, નિર્ભય લોકો,તુરત ઘંટલાનું પડ તે જળમનુષ્યોના ઉપર મૂકે છે. તે ઘટેલાની અંદર આવી પડેલા જળમનુષ્યો શરીરને દળી નાખ્યા, પીલી નાખ્યા છતાં પણ તે લોકો મરતા નથી, પછી તે ઘંટલાને કાળા બળદ જોડી ઘાણીના પેઠે બાર બાર માસ ફેરવે છે ત્યાં સુધી તે બિચારા, દિન મન-વચન-કાયાવાળા, નરકના સમાન ઘોર દારૂણ દુઃખને ભોગવે છે. આવી રીતે પીલ્યા છતાં પણ, હાડકાના બે ટુકડા થતા નથી, પણ શરીર જર્જરીત થાય છે. પછી શિલાસંપુટને ઊઘાડી મહામહેનતે તે જલમનુષ્યનો પ્રાણનાસાથે ઘોર કર્મવાળા રત્નદીપના મનુષ્યો ગોલિકાને ગ્રહણ કરે છે, અને રત્નદ્વિપ જઈ હે ગૌતમ ! મહામૂલ્યથી તે ગોળીયો વેચે છે. હે ભગવાન ! આહાર પાણી રહિત દુસહ પીડાય સહિત , જળમનુષ્યો બાર બાર માસ સુધી પ્રાણ કેમ ધારણ કરી શકે છે ? હે ગૌતમ ! પૂર્વભવના પાપકર્મના ઉદયથી તેઓ સુધા તૃષાપીડાદિ દુસ્સહ દુઃખને સહન કરે છે. (ઉપદેશ સત્તાવનામો) જીવાભિગમ તથા પન્નવણાસ્ત્રમાં, ૩૦ અર્મભૂમિમાં તથા પ૬ અંતરદ્વિપમાં, યુગલિયાઓ ઉત્પન્ન થાય છે, તેનો વિચાર. પ દેવકુરૂ, ૫, ઉત્તરકુરૂના યુગલિયાના શરીર ત્રણ ગાઉ ઉંચા હોય છે, તેમનું ૩ પલ્યોપમનું આયુષ્ય હોય છે, તેઓ ત્રણ દિવસને આંતરે આહાર લે છે, તેઓને રપ૬ પૃષ્ટ કરંડક હોય છે, અને ૪૯ દિવસ અપત્યનું પાલન કરે છે. ૫ હરિવર્ષ અને પ રમ્યફ યુગલિયાના શરીર બે ગાઉ ઊંચા હોય છે. તેનું આયુષ્ય ૨ પલ્યોપમનું હોય છે. તેઓ બે ઉપવાસને આંતરે M૧૪૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy