SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આહાર લે છે. તેઓને ૧૨૮ પૃષ્ટકરંડ હોય છે, અને ૬૪ દિવસ અપત્યનું પાલન કરે છે. પ હિમવંત અને ૫ હૈરવંત યુગલિયાના શરીર ૧ ગાઉ ઊંચા હોય છે. તેઓનું આયુષ્ય ૧ પલ્યોપમનું હોય છે.તેઓ ચતુર્થાતર એક ઉપવાસને આંતરે આહાર લે છે. તેઓને ૬૪ પૃષ્ઠકરંડક હોય છે. તેઓ ૭૯ દિવસ અપત્યનું પાલન કરે છે. " છપ્પન્ન અંતરદ્વીપના યુગલિયાઓના શરીર ૮૦૦ ધનુષ્ય ઊંચા હોય છે. તેઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય હોય છે. તેઓ એકઉપવાસને આંતરે આહાર લેનારા હોય છે. તેઓને ૬૪ પૃષ્ટકરંડક હોય છે અને ૭૯ દિવસ અપત્યનું પાલન કરે છે, તેઓ તમામ યુગલિયાઓ અહમિંદ્રપણું ભોગવનારા હોય છે. સ્વામિસેવકના સંબંધથી રહિત હોય છે. તેઓવજ ઋષભનારાચ સંઘયણવાળા હોય છે. સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. અનુલોમ વાયુવેગવાળા હોય છે. સારા કાચબાના જેવા સુપ્રતિષ્ઠ ચરણવાળા હોય છે. અત્યંત સુકુમાલ, સૂક્ષ્મ, થોડા રોમવડે કરી યુક્ત ગોળ જેવા યુગલવાળા હોય છે. અત્યંત ગૂઢ અને સારી રીતે સંધિયોથી બાંધેલા ઢીંચણ પ્રદેશવાળા હોય છે. હાથીની સૂંઢ જેવા ગોળ સાથળવાળાં હોય છે. સિંહના સમાન કમ્મર પ્રદેશવાળા હોય છે. વજના સમાન મધ્ય ભાગવાળા હોય છે. ગોળ નાભિમંડલવડેકરી યુક્ત હોય છે. શ્રીવત્સવડે કરી લાંછિત, વિશાલ ગોળ વક્ષસ્થલવાળા હોય છે. નગરના દરવાજાના બારણાની ભોગળ સમાન લાંબા હાથવાળા ૧૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy