SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ભાલાદિ શસ્ત્રોથી સજ્જ થઈ બુદ્ધિના પ્રયોગે, છળભેદ, પ્રપંચ કપટ કરી, અત્યંત કરે તે જલમનુષ્યનો જીવિતવ્ય સાથે અંડગોલિકાને ગ્રહણ કરે છે, તે વખતે નરક સમાન તીવ્રદુસ્સહ વેદનાને જલમનુષ્યો સહન કરે છે. હે ભગવન્! તે ગોલિકાને કોણ ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! તે લવણસમુદ્રમાં, પ્રતિસંતાપદાયક સ્થળથી ૧૩૧ યોજન દૂર રત્નદ્વીપ નામનો અંતરદ્વીપ રહેલ છે, તેને વિષે વસનારા માણસો તે ગોલિકાને ગ્રહણ કરે છે. હે ભગવન્! કેવા પ્રકારના કાર્ય વિધાનથી કેવા પ્રયોગે લે છે ? હે ગૌતમ ! તેર–દ્વીપને વિષે, ૨૦-૧૯-૧૦-૮-૭ ધનુષ્ય માનવાળા ઘંટલાના આકારવાળા, અત્યંત કઠોર કર્કશ સ્પર્શવાળા, વજશિલાના સંપુટો છે, રત્નદીપના મનુષ્યો તે શિલાસંપુટોને ખુલ્લા મૂકે છે. પછી તેમાં ક્ષેત્રસ્વભાવ સિદ્ધિયોગે કરીને જ, મદ્ય અને માછલાઓ લેપીને મૂકે છે. પછી મઘ માંસના તુંબડા બન્ને હાથમાં લઈ પ્રતિસંતાપદાયક સ્થળ પ્રત્યે તે લોકો જાય છે. રત્નદ્વીપના મનુષ્યોને દેખી, તે ગુફાવાસી જળમનુષ્યો તેને મારવાદોડે છે. તે લોકો પણ રત્નદ્વીપ પ્રત્યે દોડતા દોડતા વચ્ચે વચ્ચે મદ્ય-માંસના તુંબડા મુકતા ચાલ્યા જાય છે. તેને આસ્વાદન કરતા જલમનુષ્યો પણ અતિવેગથી તે લોકોની પાછળ દોડે છે. આવી રીતેવજના ઘંટીના સુધી રત્નદીપના મનુષ્યો, જળમનુષ્યનો લાવે છે. પછી વજશિલ્લાસંપુટ ઉપર તમામ મદ્ય માંસ મૂકી, લોકો રત્નદીપે ચાલ્યા જાય છે. મદ્ય માંસ ખાવાના લોલુપી તે જલમનુષ્યો, ત્યાં બેઠા બેઠાઆઠ દિવસ સુધી ખાય-પીવે છે, તેવામાં તે રત્નદીપના મનુષ્યો, સન્નદ્ધ-બદ્ધ થઈ, બકતર પહેરી, તીક્ષ્ણ તરવાર આદિ અત્યંત રૌદ્રભાલાદિક લઈ સાત આઠ પંક્તિયે કરી, તે શિલાસંપુટને વીંટે છે. M૧૪૬ ૧૪૬ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy