SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે તેને ગળામાં ઘુંટે છે. વિષ પીવે છે અને નિધાનનો ત્યાગ કરીને કાચના ટુકડાને અંગીકાર કરે છે. તે કારણ માટે તે સૌમ્ય ! જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સર્વજ્ઞદર્શિત મનુષ્યજન્મની પ્રાપ્ત દુર્લભતા સમન્વિત પ્રમાદને ત્યાગ નથી કરતો તેથી ભવસમુદ્રમાં ડૂબતાં મહોશોચને કરવાવાળો થઇશ, કારણ કે જે દુર્લભ મનુષ્ય જન્મને પામી. પરલોકના હિતને નથી કરતો તે મરણકાળે શોચ કરનાર થાય છે. જેમ પાણી કાદવમાં મગ્ન થયેલો હાથી જેમ આંકડામાં વીંધાયેલો મત્સ્ય, જેમ જાળમાં જકડાયેલ મૃગલો જેમ પાંજરામાં પૂરાયેલ પક્ષી શોક કરનાર થાય છે તેમ પ્રમાદી ધર્મ રહિત જીવ મૃત્યુ જરાવડે કરી મૂચ્છિત થઈ દીર્ઘ નિદ્રામાં પડેલો કર્મભારથી ભરેલો જીવ, કોઈ રક્ષણકરનાર નહિ હોવાથી શોચ કરવાવાળો થાય છે, માટે ધર્મકરણી નહિ કરી મનુષ્ય જન્મને હારી જાય છે તે સત્પરુષ નહિ પરંતુકાયર પુરુષ કહેવાય છે. સેંકડો વ્યસનોથી પરાભવ પામેલા, વીજળીના ચમત્કારના પેઠે ચંચળ, ક્ષણભંગુર, અનિત્ય, પહેલા અઘર છેલ્લા પણ અવશ્ય ત્યાગ કરવા લાયક મનુષ્ય ભવ છે, માટેહે જીવો ! સુખી થવું હોય તો છેતો. (ઉપદેશ પંચાવનમો) નાસ્તિક આસ્તિક એક હળુકર્મી જીવ ! ભારે કર્માજીવને કહે છે કે હે ભાઈ ! નિરંતર ધર્મકર્મ કરે, તો પર્વને દિવસે તો ધર્મ કાંઈક કર? જો આજે જિનેશ્વર મહારાજના મંદિરમાં આંગી-રચનાદિ ભારે મહોત્સવ થઈ રહેલ છે, અને પરમાત્માને વંદન કરી, પૂજય ગુરુને વંદન કરી આશીર્વાદ મેળવ. આવો ઉપદેશ સાંભળી નાસ્તિકે નીચે પ્રમાણે આસ્તિકને કહ્યું કે - अन्नं नास्त्युदकंनास्ति, नास्ति तांबूलचर्वणम् । मंदिरेषु महोत्साहः, शुष्कचर्मस्य ताडनम् ॥१॥ ભાવાર્થ : અન્ન નથી, પાણી નથી,તાંબૂલ ચાવવાનું નથી, લોકો કહે છે કે ચલો ભાઈ ચાલો, મંદિરને વિષે મોટો મહોત્સવ છે, મોટા M૧૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy