SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૨ તેમાં પણ પંચંદ્રિય પણાની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૩. પંચેદ્રિયપણામાં પણ મનુષ્યપણું પ્રાપ્ત થવું દુર્લભ છે. ૪ મનુષ્યપણામાં પણ આર્ય દેશ મળવો મુશ્કેલ છે. ૫ આર્ય દેશમાં પણ ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. ૬ ઉત્તમ કુળમાં પણ ઉત્તમ (જાતિ) મળવી દુર્લભ છે. ૭ ઉત્તમ જાતિમાં પણ ઉત્તમ રૂપ (પંચંદ્રિયપટુતા) પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. ૮ તેમાં પણ શારીરિક બળ પ્રાપ્ત થવું દુર્લભ છે. ૯ બળ છતાં જય મેળવવો દુર્લભ છે. ૧૦ તેમાં પણ વિજ્ઞાનની પ્રાપ્તિ થવીદુર્લભ છે. ૧૧ તેમાં પણ સમકિતની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૧૨ તેમાં પણ શીયળની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૧૩ તેમાં પણ ક્ષાયિકભાવ મેળવવો દુર્લભ છે. ૧૪ તેમાં પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૧૫ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ જ્યારે મુક્તિ મળે છે ત્યારે જ ઉત્તમ સુખ છે. મનુષ્ય જન્મ પામવો મહાદુર્લભ છે. તેમાં પણ સર્વલોદિત ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, અને સાધુ સાધર્મીઓની સામગ્રી પણ દુર્લભ છે. ધન, ધાન્ય, બંધુ, મિત્રસમાગમ અને જીવિતવ્ય આ તમામ ચપલ છે. ક્ષણ માત્રમાં વ્યાધિયો ઘેરો ઘાલે છે, માટે પ્રમાદ કરવો યુક્ત નથી, ધર્મકર્મમાં પ્રમાદી થઈ દેવગતિ આદિ લાભનો નાશ કરી, મનોહર મનુષ્પતિની પ્રાપ્તિનો રોધ કરી, આત્મા જે ધર્મરૂપી મૂળનું ઉચ્છેદન કરે છે તે ધર્મને ચોરા લૂંટી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. જુગારને વિષે પણ તે ધર્મને હારી શકાય નહિ કારણ કે મનુષ્ય જન્મ મૂલધનરૂપ છે. દેવગતિની પ્રાપ્તિરૂપ લાભ કહેલ છે તે મૂલ ધન હારીજવાથી તિર્યંચ અને નરકગતિની પ્રાપ્તિ થાય છે તેથી જ ધર્મ રહિત જીવ હાથના અગ્ર ભાગથી કાળા સર્પને ગ્રહણ કરે છે, અને વિષ જે ન ૧૪૨ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy