SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ મહોત્સવને વિષે સુકા ચામડાને તાડના કરવાની છે, એટલે નગારું વગાડવાનું છે, ને નરધાને થપ્પા મારવાનું છે. આ સિવાય બીજું કાંઈ પણ નથી. નાસ્તિકોને તે ખબર ન હોય કે જૈન મંદિરમાં ખાવાપીવાનું ન હોય, પણ ઉત્સવ કરી ભાવના ભાવી અણાહારી પદ (મુક્તિ) મેળવવા માટે જ મહોત્સવ હોય છે, કારણ કે આહાર છે ત્યાં સંસાર છે. આહાર નથી ત્યાં સંસાર નથી પણ સિદ્ધિ છે, પરંતુ ભવભ્રમણ કરવાવાળા જીવોને તે સિદ્ધિસુખ રુચતું નથી. नमस्कारसहस्त्रेषु, शाकपत्रं न लभ्यते । आशीर्वादसहस्त्रेषु, रोमवृद्धिर्न जायते ॥ ભાવાર્થ : લોકો કહે છે દેરાસરે ચાલો, ઉપાશ્રયે ચાલો, પણ પ્રથમ પ્રશ્નો ઉત્તર આપો કે ત્યાં જઈને શું કરવું છે ? ઉત્તર મળે છે કે ભગવાનને નમસ્કાર કરવાથી નવ નિધિ અને અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ગુરુને નમસ્કાર કરવાથી સારો આશીર્વાદ મળે છે. તે સાંભલી નાસ્તિક બોલે છે કે ભાઈ નવનિધિ અને અષ્ટ મહાસિદ્ધિ તો દૂર રહી પણ હજાર વાર નમસ્કાર કરવા છતાં પણ શાકનું એક પાંદડું પણ મળતું નથી અને ઉપાશ્રયે જઈ હજારોવાર આશીર્વાદ સાધુને વંદન કરી લઈ આવ્યા તો પણ એક રોમમાત્ર રૂંવાડું પણ વધ્યું નહિ માટે અમારે દેવગુરુ બેમાંથી એકનો પણ ખપ નથી. ભારેકર્મી જીવોને કોઈ ગમે તે પ્રકારે બોધ કરે તો પણ મગોળીયા પાષાણની પેઠે તેનું કઠોર હૃદય ભીંજાતું નથી, માટે એવાઓને ઉપદેશ દેવોનો પરિશ્રમ ન કરવો. (ઉપદેશ છપ્પનમો) જલમનુષ્યો એક લાખ યોજનના જંબૂદ્વીપને વીટીને બે લાખ યોજનનો લવણ સમુદ્ર રહેલો છે, તેના જે સ્થાન પ્રત્યે સિંધુ મહાનદી આવી ને પડેલી ન ૧૪૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy