SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ અંધકાર, જીવને નિશ્ચય નરકરૂપી કૂવામાં નાખે છે, ભગવાન શ્રી મહાવીર મહારાજા લોકને અલોકને વિષે સ્થાપન કરવાની સત્તા વાળા છતાં પણ, સહેજ અભિમાન કરવાથી નીચ કુળમાં અવતર્યા, કહ્યું છેકે જાતિ, લાભ, કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ, તપ, શ્રુત વિગેરેનો મદ કરવાથી મનુષ્ય હીનપણાને પામે છે. અસત્યની ખાણ, દોષ રૂપી અંધકારને વિસ્તરવામાં રાત્રિ સમાન, પાપની માતા, દુર્ગતિ આપનારી માયાનો ત્યાગ કરવો, પૂર્વજન્મમાં દુઃખે કરીને પણ તપી શકાય એવો તપ તપીને ભવસમુદ્રના પારને પામ્યા છતાં પણ મલ્લિનાથ ભગવાન સ્ત્રીના અવતારને પામ્યા. દોષોની ખાણ, સર્વ સારા ગુણોરૂપી વૃક્ષને બાળવામાં અગ્નિ સમાન, કલેશનું ઘર એવો લોભ, લોકોને દુઃખરૂપી દરિયામાં નાખે છે. બીજા ભરતને સાધવાનો લોભી સુભમ ચક્રી, ભોગજીવિતથી ભ્રષ્ટ થઈ સાતમી નરકે ગયો. એક એક કષાયને અંગીકાર કરવાથી તે લોકોને મહાઅનર્થ કરનારા થાય છે, તો ચારે કષાયો સમકાળે સેવવાથી કેટલો અનર્થ કરે તે જ્ઞાની વિના બીજો કોણ કહી શકે ? કષાયના પરિહારથી જીવ દેવતાઓને માનવા લાયક, તથા મુક્તિને શીઘ્રતાથી મેળવવાવાળો થઈ શકે છે. (ઉપદેશ પચાસમો) ધર્મસ્વરૂપ અનાદિ કાળથીસૂક્ષ્મ કર્મબંધનના યોગથી આ જીવન અનાદિ વનસ્પતિમાં રહી, અનંતા પુદ્ગલપરાવર્તન કરે છે. ત્યાંથી બાદર વનસ્પતિકાયમાં આવે છે. પછી કોઈપણ પ્રકારે ત્રસપણે પામે છે. પછી લઘુકર્મી થઈ પંચેંદ્રિયપણું પામે છે. ત્યાં પણ પુન્યહીન, આર્યક્ષેત્રને પામતો નથી. કદાપિ આર્ય ક્ષેત્ર મલે તોપણ કુલ, જાતિ,રૂપ, બલને પામતો નથી, પુન્યોદયે કદાચ તે પણ પામે, પરંતુ શરીરમાં રોગીષ્ટપણું હોય છે, કદાપિ નિરોગી હોય તો પણદીર્ઘઆયુષી ન હોય, પુન્યોદયે તે પણ હોય, તો પણ જ્ઞાનદર્શનના આવરણથી વિવેક રહિત જીવ જૈનધર્મને પામે,કદાચ તે પણ પામે, તો દર્શનમોહનીયના ઉદયથી, શંકાવડે કલુષિત ચિત્તવાળો (૧૩૬) ૧૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy