SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કામચેષ્ટામાં લિપ્ત રહે છે. તેને ધિક્કાર છે ! અજ્ઞાની જીવ, અનેક જન્મમાં અપાર સુખો વિલણ્યા છતાં જરા પણ તૃપ્ત થતો નથી, અને ફરીથી તે સુખોને જન્મોજન્મમાં મેળવવાની ચાહના રાખે છે, પરંતુ જરા દુઃખ આવતાં તુરત ઉદાસ થઈ જાય છે, પુણ્ય કરવાથી જીવને અનેક સુખ મળે છે, છતાં તે પુણ્યને વિષે જીવને રુચિ થતી નથી. પ્રમાદથી દુઃખ થાય છે, છતાં તેમાં જીવ પ્રીતિ કરવાવાળો થાય છે. જડ જીવ કાર્ય જુદું કરે છે અને તેથી જુદા જ ફળ મેળવવાની અભિલાષા રાખે છે, પરંતુ લીંબોળી વાવવાથી તેમાંથી શું કલ્પવૃક્ષનો ફણગો ફુટે છે ? કદી નહી. આ ભવસમુદ્રમાં વિષયરૂપ લલચાવા લાયક ખોરાકના લોભથી, અજ્ઞાની પ્રાણીઓ માછલાની પેઠે, વિષયકષાયરૂપ માછીમારોની દુઃખરૂપી જાળમાં ફસાય છે. આ સંસારરૂપ બજારમાં વિષયરૂપ મરજી મુજબ ચાલનારા દુશ્મનો પુન્યરૂપ ચૈતન્યને કપટથી હરી લે છે. જન્મો જન્મમાં દીકરો, મિત્ર, સ્ત્રી, રૂપ બંધનવડે બંધાયેલ પ્રાણી પક્ષીની પેઠે પોતાની મરજી મુજબ ધર્મને વિષે રમણતા કરી શકતો નથી. જેઓ વિષય સંબંધી હલકા સુખની લાલચથી પોતાનાં સુકૃત હારી જાય છે તેઓ પગ પખાળવા અમૃતનો ઉપયોગ કરે છે માટે સંસારસાગર તરવાની ઇચ્છા હોય તો તે ભાગ્યશાળી ! વિષમય વિષયોત્યાગ કરવા કિટિબદ્ધ થા. (ઉપદેશ માલીશ મો.) ધર્મ જ તારણહાર હે મનુષ્યો ! જેમ કસ્તુરી મૃગની ડુંટીમાંથી થાય છે, છતાં પોતાનાં સારા ગંધરૂપ ગુણ લઈ જગતમાં અમૂલ્યપણાને પ્રાપ્ત થાય છે તેમ આ પવિત્ર મનુષ્યદેહ, ધર્મરૂપ ગુણવડે શ્રેષ્ઠપણાને પામે છે. આ દેહમાં બહાર તથા અંદર સાત ધાતુરૂપ મળ ભરેલો છે. તેણે કરી અપવિત્ર આ શરીર સર્વથા પ્રકારે અર્થ વિનાનું છે, છતાં આશ્ચર્ય છે કે મૂર્ખ જીવો અહંકાર તથા ગાઢ આકરા કર્મને વશ થઈ, પોતાના દેહને ૧૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy