SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કરે છે, તેમ જે જીવો જેવા કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે. જે જીવો સારા કામ નહિ કરે, તેને મુક્તિ કેવી રીતે મળશે ? અધર્મરૂપી ચંડાલના સ્પર્શ કરવાથી પ્રાણિઓ સંસારચક્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અરેરે ! મહાદુઃખની વાત છે કે સંસારરૂપી વનમાં ફરનારા પ્રાણીઓના પ્રાણને હરણ કરનારા કષાયરૂપી વિષની નીકથી સિંચાયેલી વિષવૃક્ષોની જીવો સેવા કરે છે. માટે મહાનુભાવો ! આ મોહજાળની કષાયરૂપી ગ્રીષ્મઋતુના તાપથી તપેલા તમારા આત્માને શમતારૂપી અમૃતના સિંચનવડે શાંત કરો. સંસારના સંતાપને દૂર કરવામાં ગુરુ ઉપદેશ અમૃતરૂપ છે, માટે મનરૂપી ક્ષેત્રને, ગુરુના વચનરૂપ જલવડે સિંચનથી પુણ્યરૂપી બીજનો અંકુરો પ્રગટ થાય છે, કષાયરૂપી દષ્ટિ મહાખરાબ છે, વિષયરૂપ સર્પરાજના વિષવડે વ્યાકુળ થયેલા હૃદયને શાંત કરનાર, ગુરુનું વચનરૂપ એક અમૃત જ સમર્થ છે, જેમ મેઘની વૃષ્ટિ થવાથી નદીઓ ભરપૂર ભરાય છે અને નજીકની વાવડીને પરિપૂર્ણ કરી દે છે. પછી તેના પ્રત્યે હંસપક્ષી વાસ કરી શકતો નથી, તેમ કષાયરૂપી મેઘની વૃષ્ટિ થવાથી મનરૂપી વાવડી તરબોળ થઈ ગયા પછી ત્યાં ધર્મરૂપી હંસ વાસ કેવી રીતે કરી શકે ? કષાયરૂપ મંદરના પાનથી જેનાં ચિત્તો પરાધીન થયેલા છે તે જીવો ધર્મિષ્ટ હોય, દેવ સમાન હોય તો પણ તે સ્વજનવર્ગને મારવા તત્પર થાય છે. કષાયરૂપી નદીના પૂરથી ખોદાયેલા ભાગ્યરૂપી વૃક્ષને જડમૂળથી ઉખેડી અલ્પજ્ઞાનવાળા જીવોરૂપી દ્વિીપને અનુક્રમે વિપત્તિરૂપી સમુદ્રનાં બળી દે છે, કષાયરૂપી સ્વતંત્ર ચોર જો રસ્તે જતા ન મળે તો મનુષ્ય તાલીયો પાડતો સનાતનપુરીમાં જઈ શકે છે. જે પુરુષ પુણ્યરૂપી સરોવરના અમૃતનો આશ્રય કરે છે તે જ કષાયરૂપ દાવનલથી બચે છે. અરે ! પામર આત્મા ! જ્ઞાનથી વિચારી, તું સંસારથી ઉદ્વિગ્ન થઈ સંસારનો ત્યાગ કર. સંસાર સાગર તરવામાં ગુજહાજ સમાન છે. સર્વ સંસારી જીવોને ગુરુ મેઘ સમાન છે માટે હે જીવ ! હવે તું દુ:ખના સમૂહરૂપ ગીષ્મ ઋતુના સંતાપને ત્યાગી શાંત થા અને મુક્તિ પદના પંથરૂપ વ્રતને ધારણ કર. જે આત્માએ દેવસુખ સારામાં સારું ભોગવ્યું છે, છતાં પણ જે ૧૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy