SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ગુમાવે છે. એ ઉપરોક્ત સમગ્ર કાર્યમાં વ્યગ્ર થએલ પ્રાણી યુક્ત અયુક્ત નહિ વિચારતો મૂઢપણે પશુઓના પેઠે નાના પ્રકારના પાપકર્મોને આચરે આ મુગ્ધ બુદ્ધિવાળો પુરુષ જેને માટે પાપકર્મને કરે છે તેઓ મરણ પામનારા પુરુષના પાછળ કોઈપણ જતા નથી. ધારો કે તેઓ ભલે અહીં રહે પરંતુ આ દેહ પણ આત્માના પાછળ એક પણ પગલું નહિ ભરતા તે પણ અહીં જ પડ્યો રહે છે તેથી આકૃતગ્ન શરીર માટે મુગ્ધ પ્રાણીઓ ફોગટ પાપકર્મ કરી, કર્મબંધન કરી, પોતાના આત્માને કેવળ ભારે કરે છે. આ સંસારને વિષે પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે, મરણ પણ પામે છે અને પોતે ઉપાર્જન કરેલા કર્મ વિપાક રૂપ ફળોને પોતે એકલો જ ભોગવે છે. જે દ્રવ્ય પાપકર્મ કરીને પોતે ઉપાર્જન કરેલ છે તે દ્રવ્યને સર્વે તેના સગાવહાલા ભેગા મળીને ખાય છે, પોતે ઉપાર્જન કરેલા પાપ કર્મને નરકમાં જઈ વિડંબના પૂર્વક અનેક રીતે સહન કરે છે, દુઃખ રૂપી દાવાનળથી ભયંકર સંસારરૂપી મહાવનમાં કર્મને વશ થયેલો પ્રાણી એકલો જ ભમે છે, તેમજ સંસારથી ઉત્પન્ન થતું દુઃખ અને મોક્ષથી પ્રાપ્ત થતું સુખ આ આત્મા એકલો જ ભોગવે છે, તેમાં તેને કોઈપણ બીજો સહાય કરનાર નથી. જેમ હૃદય હાથ પગને જોડી રહેલો માણસ તેનો ઉપયોગ નહિ કરવાથી વાવ, કુવા, નદી, સરોવર, તળાવ, સમુદ્રને તરી શકતો નથી, પણ સર્વે શરીરના અવયવોને ઉપયોગમાં લઈ, સહેલાઇથી તરી શકે છે તેવી રીતે ધન અને દેહાદિકના પરિગ્રહથી પરાંમુખ થઈ, તેનો સદુપયોગ કરી આત્મસ્વરૂપમાં સ્થિર થએલો પ્રાણી જલ્દીથી આ સંસારસમુદ્રનો પાર પામી જાય છે, સર્વને મૃત્યુ સાધારણ છે, આ પૃથ્વીને વિષે પર્વતમાં મેરુ સમાન અમારું ઘર ઘણું જ ઉંચુ છે, તેમજ ઉત્કૃષ્ટ છે, પરંતુ આ ઘરને વિષે પણ ત્રણ જગતને માનવા લાયક યોગ્ય શાસનવાળા, તીર્થકરોમાં પ્રથમ અને રાજાઓમાં પણ M૧૧૪ ૧૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy