SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પ્રથમ, વળી લક્ષ યોજન પ્રમાણ ઊંચા મેરુ પર્વતના દંડરૂપ અને આ પૃથ્વીને છત્રરૂપ પોતાના ભુજાદંડથી કરવામાં સમર્થ, તેમજ ચોસઠ ઇંદ્રોના પૂજનિક એવા ઋષભદેવ પણ કાળના યોગે મૃત્યુને શરણ થએલા છે, તેમના પ્રથમ પુત્ર ભરત મહારાજા, ચક્રવર્તી ઓમાં પ્રથમ ચક્રવર્તી હતા, અને સુર અસુરો પણ જેઓની આજ્ઞાને માન્ય કરતા હતા, જે સૌધર્મેદ્રના અર્ધ આસન પર બિરાજમાન થતા હતા તે પણકાળ જતાં મરણને શરણથએલ છે, તેમના નાનાભાઈ ભુજાબળથી સ્વયંભૂરમણ સમુદ્રની પેઠે મુખ્ય ગણાતા હતા, અને ચારિત્રને ગ્રહણ કર્યા પછી, હસ્તિ અષ્ટાપદ વિગેરે જાનવરો, તેના શરીર સાથે, પોતાના શરીરને ઘસતા હતા, તો પણ સર્વને વજ દંડના પેઠે સહન કરીને બાર માસ સુધી આહારપાણીનો ત્યાગ કરીને રહેલા હતા, એવા બાહુપરાક્રમી બાહુબલજી પણ, આયુષ્યની સમાપ્તિ થતા, એક ક્ષણ માત્ર પણ આ દુનિયામાં ટકી રહેલ નથી. ઉગ્ર તેજથી આદિત્ય સૂર્ય જેવા પણ, આદિત્યયશા મહાપરાક્રમી ભરત મહારાજાના પુત્ર થતા તેનો પુત્ર મહાયશા નામે હતો, તેનો યશ દિગંત પર્યત ગવાતો હતો, જે પરાક્રમી પુરુષોને વિષે શિરોમણિ હતા.તેનો પુત્ર અતિબળ નામે થયો, તે ઇંદ્રના પેઠે અખંડ શાસનવાળો, આ પૃથ્વીને વિષે રાજા થએલો હતો. તેનો પુત્ર બળભદ્ર થયો. તે પોતાના બળથી જગતને વશ કરનાર, અને તેજથી જાણે સૂર્ય હોય તેવા પ્રકારે મહાતેજસ્વી હતો, તેનો પુત્ર બળવીર્ય થયો, તે. મહાપરાક્રમી શૌર્ય ધર્યધારીમાં મુખ્ય અને સમગ્ર રાજાઓમાં અગ્રેસરી થએલો હતો,કીર્તિ અને વીર્યથી શોભિત, તેનો પુત્ર કીર્તિવીર્ય થએલો હતો. તે એક દીપકની જેમ બીજા તેમ ઉજ્જવળ થએલો હતો, તેનો પુત્ર હસ્તિયોમાં ગંધહસ્તિના જેમ, અને આયુધોમાં વજ, દંડના જેમ બીજાઓથી જેનું અનિવાર્ય પરાક્રમ છે એવો જળવીર્ય નામે થયો. તેનો પુત્ર દંડવીર્ય થયો. છે જાણે સાક્ષાત્ બીજો યમરાજ હોયને શું, તેમ તે અખંડ દંડ ૧૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy