SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ હંમેશા અસત્યનો ત્યાગ કરવો. અસત્ય બોલવાથી , વંટોળીઆ વાયરાથી જેમ તૃણ ભમે છે તેમ જીવો આ સંસારમાં ચિરકાળ ભમ્યા કરે છે. કોઈની આપેલી વસ્તુ લેવી નહિ એટલે કોઈ પણ વસ્તુની ચોરી કરવી નહિ, કારણકે કૌચફળના સ્પર્શની જેમ અદત્ત લેવાથી ક્યારે ય પણ સુખ થતું નથી. અબ્રહ્મચર્યનો ત્યાગ કરવો કારણ કે અબ્રહ્મચર્ય રાંકના પેઠે માણસોને ગળે પકડી નરકમાં લઈ જાય છે. પરિગ્રહ એકઠો કરવો નહિ, કારણ કે ઘણા ભારથી વૃષભ જેમ કાદવમાં ખેંચી જાય છે તેમ માણસ પરિગ્રહના પરવશપણાથી દુઃખમાં ડૂબી જાય છે. જેઓ હિંસા વિગેરે પાંચ અવ્રતોનો દેશથી પણ ત્યાગ કરે છે તેઓ ઉત્તરોત્તર કલ્યાણસંપત્તિના પાત્ર થાય છે. (ઉપદેશ પાંત્રીશમો) સંસારની અસારતા રે ! જીવ ! તું વિચાર કર,વિચાર કર. વિચાર કરીને ચિંતવના કટ કે આજ સુધીમાં ઘણા ભોગફળ ભોગવાઈ ગએલા હોવાથી મારે સાંસારિક કર્તવ્યોમાં વિમુખતા કરવી જોઈએ. આ દેશનું હવે મારે રક્ષણ કરવું જોઇએ, આ ગામો મહારે સાચવવા જોઇએ હવેથી મારે સાંસારિક કર્તવ્યોમાં વિમુખતા કરવી જોઇએ. આ દેશનું હવે મારે રક્ષણ કરવું જોઇએ, આ ગામો મહારે સાચવવા જોઈએ હાથી ઘોડાઓ ગાય અને સેવકોનું મારે પોષણ કરવું જોઇએ, શરણાગતોને બચાવવા જોઇએ, પંડિતોને બોલાવવા જોઇએ, મિત્રોનો સત્કાર કરવો જોઇએ, અનેક બંધુઓનો ઉદ્ધાર કરવો જોઇએ, સ્ત્રીઓને રંજિત કરવી જોઇએ, પુત્રોને લાલિત કરવા જોઈએ આવી રીતે ઉપરોક્ત કર્તવ્યોને વિષે તેઓ પરકાર્યને વિષે આકુળવ્યાકુળ થઈ પોતાના મનુષ્ય જન્મને નિષ્ફળ ૧૧૩ - ૧૧3 ભાગ-૮ ફમો-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy