SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ શીત, તાપ સહન કરવો, અતિભાર વહન કરવો, ચાબુક, અંકુશ, પરોણાનો માર સહન કરવો વિગેરે પ્રકારની ઘણી વેદનાઓ સહન કરવી પડે છે. ખેચર આકાશચારી જંતુઓમાં તેતર શુક,કપોત, ચકલા વિગેરેને તેઓનાં માંસની ઇચ્છાવાળા, બાજ સિચાણા ગીધ વિગેરે પક્ષીઓ પકડીને ખાઈ જાય છે, શિકારીઓ એ સર્વેને નાના પ્રકારના ઉપયોગવડે કરી પકડી ઘણી વિટેબના પમાડે છે તે તિર્યંચોને બીજા શસ્ત્રાદિક તથા જવાળાદિકનો પણ ભય હોય છે, તે જીવો પણ પોતપોતાના જેને કોઈ બકારે નહિ રોકી શકાય તેવા, કર્મના બાંધવા વડે કરી દુઃખી થાય છે. જેઓને મનુષ્યપણું પ્રાપ્ત થયું હોય, તેઓમાંના કેટલાએકો તો જન્મથીજ આંધળા હોય છે, બહેરા-મુંગા-પાંગળા -કોઢીયા હોય છે, કેટલાએક ચોરી કરનારા પસ્ત્રીગમન કરનારા જીવો નારકીઓના પેઠે,જુદા જુદા પ્રકારની શિક્ષાથી મરણ પામનારા હોય છે. અને મરણ પામીને પણ દુઃખી થાય છે, કેટલાએકો નાના પ્રકારની વ્યાધિઓથી પીડાતા છતા પોતાના પુત્રોથી પણ ઉપેક્ષાને પામે છે, કેટલાએકો કલેશથી પરાભવને પામેલા પોતપોતાના સ્વામીપણાથી બદ્ધ થએલા,દુખી મનુષ્યો હોય છે, કેટલાએક દેવો પણ મત્સર કલેશ ઈર્ષ્યાથી પોતાના સ્વામીના સેવકપણાથી બંધાએલા હોવાથી,દારૂણ દુઃખને ભોગવનારા હોય છે, જેમ સમુદ્રમાં જળજંતુઓનો પાર નથી, તેમ આ દારૂણ દુઃખમય સંસારસમુદ્રમાં દુઃખનો પાર નથી. ભૂત પ્રેતાદિકનાં સંકલિત સ્થાનમાં, જેમ મંત્રાક્ષરતેમનો પ્રતિકાર કરનાર થાય છે, તેમ દુઃખના સ્થાનભૂત આ સંસારમાં જિનેશ્વર મહારાજે થન કરેલો ધર્મ પણ સંસાર દુઃખનો પ્રતિકાર કરનાર છે. અતિભારથી વહાણ જેમ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ અહિંસાથી પાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, માટે કદાપિ કાળે હંસાકરવીનહિ. 1 ૧૧૨ For Personal & Private Use Only ૧૧૨) Jain Education International www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy