SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ મસ્તકો કતરાય છે, કેટલાઓને ઘાણીમાં ઘાલી તલના પેઠે પરમાધામીઓ પીલે છે, કેટલાએકને લાકડાની પેઠે દારુણ કરવતથી વેરે છે, કેટલાએકને લોઢાના મોટા ઘણથી લોહપાત્રના પેઠે કૂટે છે, પરમાધામીઓ કેટલાએકોને લોઢાની શય્યાની શૂળી ઉપર સુવાડે છે, કેટલાએકને વસ્ત્રના પેઠે શિલતાલ ઉપર અફાળે છે, કેટલાએકને શાકના પેઠે ખંડોખંડ કરી ટુકડા કરે છે, તે નારકી ઓના શરીર વૈક્રિય હોવાથી તુરત તે ટુકડાઓ મળી જાય છે. તેથી પરમાધામીઓ ફરીથી પણ તે જ પ્રકારે પીડા કરે છે, એવી રીતે દુઃખ ભોગવતા તેઓ કરુણ સ્વરવડે આક્રંદ કરે છે. ત્યાં તૃષિત થએલા જીવોને તપાવેલા સીસાને રસ વારંવાર પાય છે, અને છાયાની ઇચ્છાવાળા જીવોને તરવારના સમાન તીક્ષ્ણ જેના પાંદડા છે એવા વૃક્ષની નીચે બેસાડે છે, તેથી તે પત્રોરૂપી ઝાટકા ઉપરાઉપર પડવાથી રોરવ દુઃખને સહન કરે છે, તે નરકના જીવો એક મુહૂર્ત માત્ર વેદના વિના રહી શકતા નથી. નપુંસકવેદી નારકીઓને જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે દુઃખનું વર્ણન સાંભળનાર પણ દુઃખી થાય છે. નારકીઓની વાત તો દૂર રહી પરંતુ પ્રત્યક્ષ દેખાય છે એવા જળચર, સ્થળચર અને ખેચર તિર્યંચ જીવો પણ પોતાના પૂર્વ કર્મવડે કરી પ્રાપ્ત થએલા, અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે. જળચર જીવોમાંનાં કેટલાએક જીવો એક બીજાનું ભક્ષણ કરી જાય છે, કેટલાએકોને બગલાઓ ગળી જાય છે, ત્વચાના અર્થી મનુષ્યો તેઓનીત્વચા ઉતારે છે, ખાવાની ઇચ્છાવાળાતેઓને પકાવે છે અને ચરબીની ઇચ્છાવાળા તેઓને ગાળે છે. સ્થળચર જીવોમાં, નિર્બળ મૃગલા વિગેરેને સબળ સિંહાર્દિક જીવો માંસની ઇચ્છાથી તેમને મારી નાંખે છે, મૃગયામાં આસક્ત ચિત્તવાળા અગર માંસની ઇચ્છાથી, અથવા ક્રીડા નિમિત્તે તે નિરપરાધી પ્રાણીઓનો વધ કરે છે, અને બળદ વિગેરે પ્રાણીઓને સુધા, તૃષા, ૧૧૧ Jain Education International For personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy