SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જીવોને ભવભ્રમણના હેતુભૂત થાય છે. આ સુગંધી છે કે તે સુગંધી છે, હું શું ગ્રહણ કરું એમ વિચાર કરતો પ્રાણી તેમાં લંપટ થઈ, મુગ્ધ બની જઈ, મૂઢ થઈ, ભ્રમરના પેઠે ભમ્યા કરે છે તેવી રીતના વર્તનથી તે કદાપી કાળે સુખી થતો નથી. જેમ રમકડાથી બાળકને છેતરે તેવી રીતે ફક્ત દેખાવમાં જ મનોહર લાગનારી, રમણિક વસ્તુઓથી પોતાના આત્માને લોકો છેતરે છે. નિદ્રા કરનારા માણસ જેમ શસ્ત્રના ચિંતવનથી ભ્રષ્ટ થાય છે. તેમ નિરંતર પ્રાણીઓ, વિણા, વેણુનાદમાં કાન દઈ પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. એક સાથે જ પ્રબળ થયેલા, વાત પિત કફની પેઠે પ્રબળ થએલા વિષયોથી પ્રાણીઓ પોતાના ચૈતન્યને લુપ્ત કરી નાખે છે. માટે તેને ધિક્કાર છે ! (ઉપદેશ ચોવીશમો) સંસારી જીવોની હાલત જોમ કાચા સુતરના તાંતણાવડે કરી બાંધેલા ખાટલા ઉપર ચડવાવાળો માણસ નીચે પડવાવાળો થાય છે, તેમ વિષય સેવન કરવાવાળો માણસ, સંસારરૂપી ભૂમિને વિષે પડવાવાળો થાય છે. ચોરાશી લાખ જીવાયોનિમાં ભટકતા જીવોને જે ભાર અનંત દુઃખને માટે થાય છે, તે પોતે કરેલા ધર્મના પરિણામથીજ થાય છે, અને તેથી તેઓ અનેક પ્રકારે દુઃખી થાય છે. જે જે જીવો, પોતપોતાના કરેલા દુષ્કર્મોના યોગે નરકગતિને વિષે ઉત્પન્ન થાય છે તેમાં કેટલાકના શરીર ભેદાય છે, કેટલાએકના શરીર છેદાય છે, કેટલાએકના અંગોપાંગ કંપાય છે, કેટલાએકના (૧૧૦) ૧૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy