SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ શીઘ્રતાથી મોક્ષ મળે તેવા આત્મ સાધનરૂપ કર્મને વિષે પ્રવર્તમાન થવું જોઈએ. અહો ! આ વિષયથી આક્રાંત થએલા લોકોને ધિક્કાર છે, કે જેઓ પોતાના આત્મહિતને જાણતા જ નથી. આ સંસારરૂપી કૂવાને વિષે, અરઘટ ઘટીયંત્રના ન્યાયવડે કરીને જંતુઓ, પોતાના કર્મથી, ગમનાગમન ક્રિયાને કરે છે, મોહથી અંધ થએલા પ્રાણીના જન્મને ધિક્કાર છે કે, જેમનો જન્મ રાત્રિના અંદર નિદ્રા કરી ગએલાની રાત્રિની પેઠે કેવળ વ્યર્થ જાય છે. ઉંદર જેમ વૃક્ષને છેદી નાખે છે, તેમ રાગ, દ્વેષ મોહ, ઉદ્યમ વંત પ્રાણીઓના ધર્મને પણ મૂળમાંથી જ છેદી નાખે છે. અહો ! અહો ! મુગ્ધ લોકો વડલાનાં વૃક્ષની પેઠે ક્રોધને વધારે છે, કે જે ક્રોધ પોતાના વધારનારનું જ મૂળમાંથી ભક્ષણ કરે છે, હાથી ઉપર ચડેલા માનવની પેઠે,માનરૂપી હસ્તિના ઉપર ચડેલા મનુષ્યો, મર્યાદાનું ઉલ્લંઘન કરી કોઈને પણ ગણતા નથી, દુરાશય પ્રાણીઓકોચના બીજની શીંગના જેવી ઉત્પાતને કરનારી માયાને છોડતા નથી. તુષોદકથી જેમ દુધ બગડે છે, કાજળથી જેમ ઉજ્જવળ વસ્ત્ર મલિન થાય છે તેમ લોભથી જીવો પોતાના ઉજ્જવળ ગુણ ગ્રામને દૂષિત કરે છે. સંસારરૂપી કારાગૃહના પહેરેગીરની પેઠે, એ ચારે કષાયો જ્યાં સુધી જાગતા છે ત્યાં સુધી પ્રાણીઓને મોક્ષ ક્યાંથી પ્રાપ્ત થાય ? અહો ! જેમ ભૂત વળગેલું હોય તેમ અંગનાના આલિંગનમાં વ્યગ્ર થએલા પ્રાણીઓ, પોતાના ક્ષીણ થતા આત્માને દેખતા નથી. કોઈ માણસ ઔષધીથી જેમ સિંહને નિરોગી કરે અને તે નિરોગી થએલો સિંહ, જેમ ઔષધ કરનારના પ્રાણ લે તેમ મનુષ્યો રસેંદ્રિયના લોભથી જુદા જુદા પ્રકારના આહારને કરવાથી તે આહાર તે મનુષ્યોના પ્રાણ લે છે, અને તે આહારથી ઉત્પન્ન થએલ ઉન્માદ જે છે તે જ ૧૦૯ ૧૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy