SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જીર્ણ થએલા વૃક્ષના કોટરમાં જેમ સર્પ, વીછી વિગેરે ક્રૂર પ્રાણિઓ ઉત્પન્ન થાય છે તેમ આ શરીરમાં પીડા કરનારા અનેક રોગો ઉત્પન્ન થાય છે. શરદઋતુના મેઘની માફક આ કાયા સ્વભાવથી જ નાશવંત છે, યૌવનલક્ષ્મી વિદ્યુતના પેઠે, જોતજોતામાં વિનાશ પામનારી છે, આયુષ્યપવનથી કંપાયમાન થએલી પતાકાના સમાન ચંચળ છે, અને સંપત્તિઓ સમુદ્રના તરંગો જેવી ચપળ છે, ભોગો ભુજગની જેમ ફેણના જેવા વિષમ છે, અને સંગમ સ્વપ્નના જેવો મિથ્યા છે. શરીરના અંદર રહેલો આત્મા, કામ ક્રોધાદિકના તાપોથી તપાયમાન થઈ, પુટપાકના પેઠે રાત્રિદિવસ રંધાયા કરે છે, તેથી દુઃખદ અવસ્થાને પામે છે. અહો ! અતિ દુઃખ કરાવનારા વિષયોમાં સુખ માનનારા પ્રાણીઓ, અશુચિ સ્થાનમાંહેના, અશુચિ કીડાની પેઠે, કાંઇ પણ વૈરાગ્ય પામતા નથી, દુરંત વિષયનાસ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, અંધ જેમ કૂવાને દેખતો નથી તેમ પોતાના પગના પાસે રહેલ મૃત્યુને દેખતો નથી. વિષની માફક આપત માત્ર મધુર, અને પરિણામે અત્યંત દારુણ એવા વિષયોમાં આ આત્મા મૂર્છાને પામે છે, તેથી પોતાના હિતને માટે કાંઈ પણ વિચાર કરી શકતો નથી. ચારે પુરુષાર્થની તુલ્યતા છતાં પણ આત્મા પાપરૂપ એવા કામને વિષે જ પ્રવર્તતે છે, પરંતુ ધર્મમાં પ્રવર્તતો નથી અને મોક્ષને માટે પ્રયત્ન કરતો નથી. આ અપાર સંસારરૂપી સમુદ્રને વિષે, અમૂલ્ય રત્નના પેઠે પ્રાણીઓને મનુષ્યજન્મ પ્રાપ્ત થવો બહુ જ દુર્લભ છે, કદાચ મનુષ્યપણું પ્રાપ્ત થયું તો પણ તેમાં અહંતદેવ અને સુસાધુ ગુરુએ પ્રબળ પુર્વે જ પ્રાપ્ત થાય છે. જો આપણે મનુષ્યભવનું ફલ ન ગ્રહણ કરીએ તો વસ્તીવાળા શહેરમાં લુંટાયા જેવું થાય છે, માટે ઉત્તમ જીવોએ, નદી જેમ કાંઠે રહેલા વૃક્ષોનું ઉમૂલન કરે છે, તેમ વિષયાદિકનું ઉમૂલન કરી ૧૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy