SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ વળી સર્વ સંગતને છોડી દઈ, જીર્ણ વસ્ત્ર પહેરી, મલિન શરીર રાખી, મધુકરી વૃત્તિને અંગીકાર કરી, મુનિચર્યાને કયારે આચરીશ ? દુઃશીલ લોકોની સંગતિને ત્યાગ કરી, ગુરુમહારાજની ચરણરજનો સ્પર્શ કરી, યોગનો અભ્યાસ કરતો, હું આ સંસાર છેદવાને ક્યારે સમર્થ થઇશ ? અધરાત્રે નગર બહાર કાયોત્સર્ગ કરીને રહેલા અને થંભવત્ થએલા, મારા શરીર સાથે, વૃષભો પોતાના સ્કંધને કયારે ઘસ્યા કરશે ? વનમાં પદ્માસન વાળી બેઠેલા એવા મારા ઉત્સંગમાં બેસી વૃદ્ધ મૃગલાઓ મારા સુખને ક્યારે સુંઘશે, શત્રુ અને મિત્રતામાં, તૃણ અને સ્ત્રીમાં, સુવર્ણ અને પાષાણમાં, મણિ અને કૃતિકામાં, સંસાર અને મોક્ષમાં મારી બુદ્ધિ સમાન ક્યારે થશે ? આ પ્રમાણે મુક્તિરૂપી મહેલની નીસરણીરૂપ, ગુણશ્રેણી ઉપર ચડવાને માટે પરમ આનંદરૂપ લતાના મૂળભૂત મનોરથો હંમેશા કર્યા કરવા, તે જ ઉત્તમોત્તમ છે. આવી રીતે અહોરાત્રિની ચર્ચા પ્રતિદિન પ્રમાદ રહિતપણે આચરતો અને કહેલા વ્રતોને વિષે યથાર્થ રીતે સ્થિર રહેતો શ્રાવક ગૃહસ્થપણાને વિષે પણ વિશુદ્ધ થાય છે. (ઉપદેશ તેનીશમો) શરીરની અશુચિતા અહો ! આ શરીર સ્વાભાવિકપણાથી જ અશુચિમય છે. તો તેને ઉપચારોથી નવું નવું કરી કેટલા કાળ સુધી ગોપવવું આ શરીરને અનેક વાર સત્કાર કર્યા છતાં પણ જો એક વાર સત્કાર કરવામાં ન આવે તો, ખલ પુરુષના પેઠે તત્કાળ આ શરીર વિકાર પામ્યા વિનારહેતું નથી. અહો ! અહો ! બહાર પડેલા મળ, મૂત્ર, વિષ્ટા કફ, વિગેરે અશુચિ પદાર્થોથી પ્રાણીઓ દુભાય છે, પરંતુ શરીરના અંદર તે સર્વે રહેલા છે, તેનાથી કેમ દુભાતા નથી ? ૧૦૭ ~ ૧૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy