SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પિત્ત જવરવાળા રોગની, સિંઘવ તથા જીરા સહિત. બીજોરૂ આપવાથી, તે વાત પિત્ત બન્નેને શમાવે પણ નહિ, તેમ રોગનો પણ પ્રકોપ ન કરે પણ સમાન રહે, તો ઔષધ પ્રમાણે ધર્મ પણ ૧ દોષ ર ગુણ, ૩ ગુણદોષ, ૪ નહિ ગુણનહિ દોષ એ ચારે પ્રકારે કરે છે, આ હકીકત નીચે પ્રમાણે ઘટાવે છે. ૧. જેમકે મિથ્યાત્વને ધર્મમાનનારા, દેવગુરુધર્મને વિષે વિપરીત બુદ્ધિ રાખનારને ગોચર, કુતીર્થિકો કહેલા છે. તેઓ સ્નાન યજ્ઞાદિકની ક્રિયા વિગેરેને માનનાર હોય છે, તે મિથ્યાદ્રષ્ટિ લોકોને વિષે જે ધર્મની રૂઢી હોય છે. તેને જ તે લોકો ધર્મ કહે છે આ ધર્મ દુરંતર ચાર ગતિરૂપ સંસારચક્રવાલને વિષે પરિભ્રમણ કરાવનાર છે. યજ્ઞ કરાવનાર તુરમણિ રાજા પેઠે દુર્ગતિમાં લઈ જનાર છે, કેટલાયેક ચરકાદિકો તાપસો પાપકર્મને વિષે તત્પર રહેલા છતાં પણ, માસક્ષમણાદિક તપકર્મ, કાયકષ્ટ કરવાથી કિંચિત્ શુભ ફળને તેઓ પામે છે, પરંતુ અનંતર ભવને વિષે તેઓ નિશ્ચય નરકાદિક ગતિને વિષે જઈ દુઃખના ભાજન થાય છે. જેમ કોઈ માણસને સોજા ચડવાથી દુઃખ કરનારા થાય છે તેમ મિથ્યાત્વ ધર્મ પણ દોષરૂપ અવગુણ ઉત્પન્ન કરનાર થાય છે. ૨. નિર્નિદાન ધર્મ પોતે કરેલા તપકર્મ આદિનું ફળ પર લોકે માંગવુ નહિ તથા ઈહલોકે પણ પ્રાર્થના નહિ કરવારૂપ, સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર લક્ષણયુક્ત, સર્વજ્ઞપ્રણીત ધર્મ, મહાગુણને કરે છે. આ ધર્મકર્મક્ષયરૂપ ગુણને કરે છે, એટલે વાંછિત ફળરૂપ, ધનસુખ, સંયોગ,રાજ્યાદિક સાંસારિક સુખોને આપી, જલ્દીથી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે માટે શ્રેયાંસકુમાર અને ચંદનબાળાની પેઠે એકાંત રીતે ગુણકારી છે. ૩. સનિદાન ધર્મ તપફળની પ્રાપ્તિ કરવાવાળો ધર્મ, સર્વજ્ઞપ્રણીત સનિદાન ધર્મ ગુણ દોષ ઉભયને કરનાર થાય છે. તે ધર્મ આરાધકને બીજે ભવે, પ્રાર્થિત રાજ્યાદિક શુભ ફળને આપનારા થાય છે, પછીના (૧૦૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy