SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ મેળવવા માટે લોકપ્રવાહમાં તણાઈ જઈ આળસુ થઈ કાળક્ષેપ કરે છે તે ભગવાનની આણાને ઉત્થાપી વિરાધક દશા પામે છે, માટે તેમ નહિ કરતા જ્ઞાનધ્યાન કરી વડીલ વર્ગની સેવા કરી, શાસ્ત્રના પરમ રહસ્યને જાણી ગીતાર્થ થઈ રાગદ્વેષાદિક તથા કષાયાદિકનો જય કરી, શુદ્ધ સંયમ આરાધી, ભણી ભણાવી, શાસ્ત્રો લખી લખાવી, નાના પ્રકારના તપને તપતો ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશાની વૃદ્ધિ કરતો, સત્ય ઉપદેશ કરી જૈન શાસનની ઉન્નતિ કરી, જૈન શાસનને દીપાવતો બોધશક્તિ વડે ભાગ્યશાલી જીવોને સંસારથી તારતો, સારણા-વારણા-ચોયણાપરિચોયણા, આ ચારની વૃદ્ધિને કરતો, સંયમ લેવા શક્તિ રહિત જીવોને બાર વ્રતોનું પ્રદાનપણું કરતો એક જગ્યાએ નહિ રહેતા જુદા જુદાદેશના ગામ, નગર, પુર, પાટણ, શહેરને વિષે ઉગ્ર વિહારપણું ધારણ કરતો, શત્રુ મિત્રને સમાન ગણતો, તીર્થયાત્રા કરતો, ધર્મોપદેશ લોકોને આપતો, અકિંચન વૃત્તિ ધારણ કરી ઘણા મિથ્યાત્વી જીવોને બોધ કરતો જ્યારેદિવસને નિર્ગમન કરે છે ત્યારે જ તે સાચો સાધુ કહેવાય છે, માટે દિનપ્રતિદિન સાધુધર્મની વૃદ્ધિ થાય તેવો પુરૂષાર્થ કરે તો તે સંયમમાં વીર્ય ફોરવનારા ગણી શકાય છે. ભૂતકાળમાં જે જે મહાત્માઓ થઈ ગયા છે, તેમણે જે જે માર્ગે જેવી કેવી રીતે જૈન શાસસની ઉન્નતિકરી છે તે તે માર્ગે પોતાની શક્તિ પ્રમાણે પુરૂષાર્થ કરી જૈન શાસનને દીપાવે, જૈન શાસનની વૃદ્ધિ કરે, જૈનની સંખ્યામાં વધારો કરે અને સત્ય પ્રરૂપણા સાથે પ્રશાંતવૃત્તિ ધારણ કરી પુસ્તકોમાં લખ્યા પ્રમાણે સાધુમાર્ગને શોભાવે તે જ મહાત્મા સત્ય શુદ્ધ સંયમધારી કહેવાય છે, માટે સંયમીએ તેમ કરવા ચૂકવું નહિ. (ઉપદેશ ૨૮મો ) પાંચ પ્રકારના સ્વાધ્યાય સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. પહેલો પ્રકાર વાચના છે, વાચના એટલે સૂત્ર તથા અર્થનો અભ્યાસ કરવો, કરાવવો તે, તે પ્રકાર - ૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy