SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જન્મ અને જૈનાગમનું શ્રવણ પ્રાપ્ત થયું છે, હા. હા. ઈતિ ખેદે હજી પણ મને વૈરાગ્યજ્ઞાન શ્રદ્ધા થતા નથી માટે મને ધિક્કાર છે, આવી ભાવના ન થાય તો શ્રવણ કરેલ શાસ્ત્ર પણ ફળદાયક ન થાય. કદાપિ લેશમાત્ર શ્રદ્ધા થાય તો કોને ખબર છે સ્વર્ગ નરકની? કોણ ત્યાં જઈને આવેલ છે ? અગર કોઈપણ સ્વર્ગ નરકાદિક પ્રત્યક્ષ દેખાતા નથી માટે કાંઇ જ છે નહિ આવી ભાવના અને ધારણા કરનાર માણસ મહાઅજ્ઞાની ગણાય છે. પરમાત્માને માને છે તો પછી ચૌદ રાજ લોકોના સ્વરૂપને બતાવનારા પરમાત્માના વચનોને ન માને તે તેની મોટી ભૂલ છે. જિનેશ્વર મહારાજા જ્ઞાની હતા અને જ્ઞાન ચક્ષુવડે દેખીને જે જે બાબતો તેમણે કહી છે તે સત્ય જ છે, એવું નહિ માનનાર માણસ શ્રદ્ધાહીન થઈ મિથ્યાદષ્ટિપણે પામે છે, અને પરમાત્માનાં વચનોને શ્રવણ કરતા છતાં તે મિથ્યાદષ્ટિ કહેવાય તો પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયા જેવું છે,માટે બુદ્ધિમાન જીવોએ શાસ્ત્રને શ્રવણ કરી તેમને વિષે બરાબર શ્રદ્ધા ધારણ કરવી. માણસોને જો બરાબર શ્રદ્ધા થાય છે તો સંસારને ઠોક્કર મારી જન્મ, જરા અને મરણાદિકના દારૂણ દુઃખને નિવારનાર એવા સંયમને ગ્રહણ કરવામાં જરા પણ વિલંબ કરતો નથી. सुइंच लध्धुं सध्धंच, वीरिअं पुण दुल्लहं । बहवेरोयमाणावि नो अणं पडिवज्जए ॥१॥ ભાવાર્થ : શ્રત પામીને પણ શ્રદ્ધા થવી દુર્લભ છે, શ્રદ્ધા થઈ તો પુરુષાર્થકરવોદુર્લભ છે, ઘણા જણાને રુચે તો પણ અંગીકાર કરે નહિ. સંયમમાં વીર્ય ફોરવવું. ચારિત્રા વર્ગીય-કર્મની ક્ષીણતાથવાથી, શ્રદ્ધાના પ્રબલયોગે ચારિત્ર તો કદાચ લીધું, પરંતુ તેમાં કર્મની ક્ષીણતાને માટે પુરુષાર્થ નહિ કરતો આ જીવ પ્રમાદને ધારણ કરી ખાવું, પીવું, સૂવું, શરીરની જ સેવા બજાવવી, વિકથા-નિંદા-લોભ માનસમાં મગ્ન થઈ. પરિગ્રહ એકત્ર કરવામાં, ભક્ત ભક્તાણીયો વધારવામાં અને માનમરતબો ૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy